દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર તાંડવ મચાવી રહી છે ત્યાં અમુક રાજ્યોના આરોગ્ય તંત્રને હજુ વેન્ટિલેટરને ડબ્બામાંથી કાઢવાનો પણ સમય મળતો નથી, ઈશ્વર જ જાણે કયા કામોમાં સાહેબો વ્યસ્ત હશે!
કેન્દ્ર દ્વારા લખાયેલા પત્ર બાદ થયો ખુલાસો
તપાસમાં PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર ખાઇ રહ્યા છે ધૂળ
બોક્ષમાં પેક વેન્ટિલેટર પણ નથી કઢાયા બહાર
છેલ્લા 9 મહિનામાં કેન્દ્ર દ્વારા 4 વખત લખાયો પત્ર
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં નથી તૈયારી
કોરોની ત્રીજી લહેરમાં પણ રાજ્યોમાં તૈયારી નથી દેખાઇ. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને પત્ર લખી તૈયારી કરવા અંગે જાણકારી આપવામાંઆવી હોવા છતાં પણ રાજ્યોમાં તૈયારીનો અભાવ જોવા મળ્યો હતો. કેન્દ્ર દ્વારા પત્ર લખાયા બાદ તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે PM કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઇ રહ્યા છે. જીનોમ સિક્વોન્સિંગની લેબ પણ શરૂ કરવામાં રાજ્યોની ઉદાસીનતા દેખાઇ રહી છે. બોક્ષમાં પેક વેન્ટિલેટરો બહાર પણ નથી કઢાયા. છેલ્લા 9 મહિનામાં કેન્દ્ર દ્વારા 4 વખત પત્ર લખવામાં આવ્યો હતો. 20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. દિલ્લીમાં 1129માંથી 172 વેન્ટિલેટર ચાલુ નથી કર્યા. ચંદીગઢમાં પણ વેન્ટિલેટર બંધ હાલતમાં જોવા મળ્યા છે.
20 ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં
તપાસમાં ખૂલ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને 50 હજાર વેન્ટિલેટર આપ્યા હતા પરંતુ હજુ 1600ને તો પેટીપેક જ રાખવામાં આવ્યા છે. જીનોમ સિકવેન્સિંગને લઈને લેબની હાલતમાં પણ આવી જ હાલત છે. રાજ્યોને લેબ નવી બનાવવામાં કોઈ રસ નથી. રાજ્યો પોતાની સફાઇમાં જુદા જુદા બહાના બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.