જ્યોતિષિઓ અનુસાર આ સૂર્ય ગ્રહણ ખૂબ જ ખાસ છે. હકીકતે આ સૂર્ય ગ્રહણમાં સૂર્યનો કેતુ સાથે સંયોગ હશે.
4 ડિસેમ્બરે છે વર્ષનું છેલ્લુ ગ્રહણ
બની રહ્યો છે ખાસ સંયોગ
જાણો કઈ રાશિ પર પડશે કેવો પ્રભાવ
સૂર્ય ગ્રહણ 4 ડિસેમ્બર, શનિવારે લાગુ થવા જઈ રહ્યો છે. આ 2021નું છેલ્લુ ગ્રહણ હશે. ભારતીય સમય અનુસાર આ સૂર્ય ગ્રહણ સવારે 10.59થી શરૂ થશે અને બપોરે 3.07 મિનિટ પર પૂર્ણ થશે. જ્યોતિષ અનુસાર આ સૂર્ય ગ્રહણ જ્યેષ્ઠા નક્ષત્ર (Jyeshta Nakshatra) અને વૃશ્ચિક રાશિ (Scorpio Zodiac)માં લાગશે. જ્યોતિષો અનુસાર આ સૂર્ય ગ્રહણ ખૂબ જ ખાસ છે. હકીકતે આ સૂર્ય ગ્રહણ (Surya Grahan 2021)માં સૂર્યના કેતુ સાથે સંયોગ હશે. તે ઉપરાંત ચંદ્રમાં અને બુધ પણ એક સાથે આવી રહ્યા છે. સૂર્ય-કેતુની સાથે આવવાથી દુર્ઘટનાઓની સંભાવના છે. જ્યોતિષિઓ અનુસાર સૂર્ય-કેતુના યોગનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે.
આવો રહેશે રાશિઓ પર ગ્રહણનો પ્રભાવ
મેષ
મેષ રાશિના લોકોને દુર્ઘટનાથી બચવાનું રહેશે. સાથે જ સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવાનું રહેશે.
વૃષભ
વૃષભ રાશિ વાળાને સતર્ક રહેવાની જરૂર છે. તે ઉપરાંત વૈવાહિક જીવનને લઈને પણ પરેશાનીઓનો સામનો કરવો પડશે.
મિથુન
આ રાશિના જાતકોને આ ગ્રહણ રાત આપશે. સંકટ પૂર્ણ થશે.
કર્ક
કર્ક રાશિ વાળા લોકોની માનસિક સ્થિતિ અને સ્વાસ્થ્ય બગડી શકે છે.
સિંહ
આ રાશિના લોકોની ચિંતા ખતમ થશે. સાથે જ કોઈ મોટા વિવાદથી છુટકારો મળશે
કન્યા
કન્યા રાશિના લોકોના રોકાયેલા કામો પૂર્ણ થશે. સાથે જ સ્વાસ્થ્ય સારૂ રહેશે.