રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વર્ષે 1 ઓકટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઓનલાઇન, પોઇન્ટ ઓફ સેલ(POS) અને ઇન-એપ ટ્રાન્ઝેક્શન માટે ખાસ ટોકન ફરજિયાત કર્યા છે.
RBI હવે ઓનલાઈન પેમેન્ટ માટે ટોકન ફરજિયાત કરશે
કોઈપણ કંપની કાર્ડની ડિટેલ સેવ નહી કરી શકે
ટોકનાઇઝ્ડ કાર્ડથી પેમેન્ટ સલામત વધુ બનશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વર્ષે 1 ઓકટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઓનલાઇન, પોઇન્ટ ઓફ સેલ(POS) અને ઇન-એપ ટ્રાન્ઝેક્શન માટે ખાસ ટોકન ફરજિયાત કર્યા છે. ડેબિટ-ક્રેડિટ કાર્ડનું ટોકનાઇઝેશન ખરેખર વ્યવહારો દરમિયાન વધારાની સુરક્ષા પૂરી પાડવાનું એક સાધન છે, જે લોકોના ડિજિટલ ચુકવણીના અનુભવમાં પણ સુધારો કરશે. ચાલો વિગતવાર જાણીએ કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટોકનાઇઝેશન શું છે અને તે કેવી રીતે કાર્ય કરશે.
શું છે ટોકનાઇઝેશન?
આરબીઆઈના જણાવ્યા અનુસાર, ટોકનાઇઝેશન એ વાસ્તવિક ક્રેડિટ કાર્ડની માહિતીને બદલે ઉપયોગમાં લેવામાં આવતો કોડ છે, જેને ટોકન કહેવામાં આવે છે.
ટોકનાઇઝેશનના ફાયદા શું છે?
ટોકનાઇઝ્ડ કાર્ડથી થતા વ્યવહારોને વધુ સલામત ગણવામાં આવે છે, કારણ કે વેપારીના સ્થળે થતી લેવડ-દેવડ દરમિયાન ક્યાંય પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વાસ્તવિક માહિતી આપવામાં આવતી નથી.
કાર્ડ ટોકનાઇઝેશનની પ્રક્રિયા શું છે?
જો તમે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને ટોકનાઇઝ કરવા માંગો છો, તો તમારે ટોકન રિએક્ટર દ્વારા પ્રદાન કરવામાં આવેલી એપ્લિકેશન પર અરજી કરવી પડશે. ટોકન વિનંતી કરનાર તમારી એપ્લિકેશનને કાર્ડ નેટવર્ક પર ફોરવર્ડ કરશે. ત્યાર બાદ કાર્ડ ઈશ્યૂ કરનારી બેન્ક કે એનબીએફસીની પરવાનગી લેવામાં આવશે. આ પછી, તમને કાર્ડ, ટોકન રિક્વેસ્ટ અને ઉપકરણ અનુસાર ટોકનનું કોમ્બિનેશન આપવામાં આવશે.
ટોકન કોણ આપી શકે?
ફક્ત અધિકૃત કાર્ડ નેટવર્ક્સ જ ટોકનાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરી શકે છે. અધિકૃત કંપનીઓના નામ આરબીઆઈની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ટોકનાઇઝેશન ફી કેટલી છે?
જો તમે તમારું ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ટોકનાઇઝ કરાવો છો, તો તમારે આ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં.
શું કાર્ડધારક માટે કાર્ડનું ટોકનાઇઝેશન ફરજિયાત છે?
કાર્ડને ટોકનાઇઝ કરવું કે નહીં તે ગ્રાહકની પોતાની ઇચ્છા પર આધારિત છે. જો તમે કાર્ડને ટોકનાઇઝ કરવા માંગતા નથી, તો પછી તમે પહેલાની જેમ તમારા વ્યવહારો ચાલુ રાખી શકો છો.
આરબીઆઈએ ટોકનાઇઝેશનની છેલ્લી તારીખ 3 મહિના માટે વધારી હતી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઇમાં કાર્ડ ટોકનાઇઝેશન અવધિને 3 મહિના માટે વધારી દીધી હતી, જેથી ઉદ્યોગ આ સમયગાળા દરમિયાન ટોકનાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન માટે સંપૂર્ણપણે તૈયાર થઇ શકે. 24 જુલાઈએ આરબીઆઈએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 19.5 કરોડ ટોકનની ડિલિવરી કરવામાં આવી છે. આરબીઆઈએ સમયમર્યાદા પણ લંબાવી હતી જેથી લોકો ટોકનાઇઝેશનથી વાકેફ થાય, ટોકન બનાવવાની પ્રક્રિયાને સમજે અને પછી વધારાની સુરક્ષા સાથે વ્યવહાર કરે.