અમદાવાદના શાસ્ત્રીનગરમાં ત્રિપલ અકસ્માતની ઘટના બની. શાસ્ત્રીનગરમાં થયેલા આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. BRTS કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી.
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ શહેરના ટ્રાફિકથી સતત ભરચક રહેતા શાસ્ત્રીનગર વિસ્તારમાં ગત રાતે આશરે 11 વાગ્યાના સુમારે બીઆરટીએસ બસ કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી.
પુરપાટ ઝડપે દોડી આવતી બીઆરટીએસ બસે એક્ટીવા અને કારને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ ઘટના અંગેની જાણ આસપાસના લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નજીકના પોલીસ મથકે જાણ પણ કરી હતી. જો કે કારમાં સવાર 4 લોકોને ઇજા પહોંચી હોવાથી તેઓને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.