વીમા કંપનીઓએ આ વર્ષે ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વધારવાની પૂરી તૈયારી કરી લીધી છે. કંપનીઓનો ઈરાદો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સને 15 થી 20 ટકા સુધી વધારવાનો છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ વીમા કંપનીઓ તરફથી મોકલવામાં આવેલા પ્રપોઝલમાં કોરોનાના કારણે કંપનીઓને થતાં નુકસાનને જોઈને થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સમાં 15 થી 20 ટકા વધારો કરવાની મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે. જો કંપનીઓની માગ મંજૂર થઈ તો તેની સીધી અસર દેશના કરોડો વાહન માલિકો પર પડશે.
ઈરડાએ આપ્યું પ્રપોઝલ
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં લગભગ 25 જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ છે. કંપનીઓને આશા છે કે તેના પ્રપોઝલને ઈરડા લીલીઝંડી આપશે. કંપનીઓનું માનવુ છે કે કોરોનાના કારણે તેમને ખૂબ નુકસાન થઇ રહ્યું છે. જેને જોઈને થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સનું વર્તમાન પ્રીમિયમ સારું નથી અને તેમને નુકસાન થયુ છે. કેટલીક કંપનીઓની સ્થિતિ એવી થઇ ગઇ છે કે તેની કરવેરા ક્ષમતા તેની નક્કી કરેલી મર્યાદાથી નીચે ઉતરી ગઇ છે. થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ ક્લેમમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી કંપનીઓ પર દબાણ વધ્યું છે.
થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ આવશ્યક
સુપ્રીમ કોર્ટના 2018ના એક નિર્ણય બાદ નવા ટુ-વ્હીલર ખરીદતી વખતે 5 વર્ષનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ અને ફોર-વ્હીલર માટે 3 વર્ષનો થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ, જે પણ વાહન રસ્તા પર ચાલે છે, તેનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ હોવો ફરજીયાત છે. ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઈરડા નક્કી કરે છે. પ્રીમિયમમાં દર વર્ષે ફેરફાર થાય છે.