અમદાવાદના વાડજમાં કારનો અકસ્માત થયો છે. દુધેશ્વર બ્રિજના છેડે કારનો અકસ્માત થયો છે. ઘરની બહાર બેઠેલા લોકો અને વાહનો પર ગાડીને ચડાવી દીધી છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના વાડજમાં કારનો અકસ્માત
દુધેશ્વર બ્રિજના છેડે કારનો અકસ્માત
ઘર બહાર બેઠેલા લોકો અને વાહનો પર ગાડી ચઢાવી
અમદાવાદના વાડજ નજીક આવેલા દુધેશ્વર બ્રિજના છેડે i20 કારે અકસ્માત સર્જોય હતો. કાર ચાલકે ઘર બહાર બેઠેલા 6થી 7 લોકો અને વાહનો પર ગાડી ચડાવી દીધી હતી. જેને લઇને આ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
મળતી માહિતી અનુસાર, કારચાલક નશાની હાલતમાં હતો અને તેણે કાર લોકો પર ચડાવી દીધી હતી. હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.