અત્યારે ક્રિકેટ જગતમાં બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે, દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પોતાના ભવિષ્યને લઈને શું નિર્ણય લેશે. ધોની લગભગ 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી અને આ દરમિયાન તેની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. જોકે, હવે ધોની શું નિર્ણય લેશે એ તો હજી ખબર નથી પડી પરંતુ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનની સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ક્યારે ક્રિકેટને અલવિદા કહેશે એ વાતનો ખુલાસો કર્યો છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કેપ્ટન કોહલીએ જણાવ્યું નિવૃત્તિ અંગે
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન સાથે કરી લાઈવ ચેટ
હકીકતમાં, ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેવિન પીટરસને લાઈવ ચેટ સેશનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ક્રિકેટ અને અંગત જીવન વિશે ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા. આ સમય દરમિયાન પીટરસને પણ એક મજેદાર કિસ્સો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું કે, હું જીમમાં હતો અને ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો અને ત્યાં ધોની પણ હતો અને તેણે પણ ટ્રેડમિલ પર દોડવાનું પણ શરૂ કર્યું. આ સમય દરમિયાન અમે બંનેએ તારા વિશે અને તારી કેપ્ટનશીપ વિશે વાત કરી. ત્યારે ધોનીએ કહ્યું કે, તે ચોક્કસપણે જોવા માંગશે કે તૂ તારીકારકિર્દી દરમિયાન આટલી જ એનર્જી, ઉત્સાહ અને આક્રમકતા જાળવી શકશે કે નહીં.
કેવિન પીટરસનની આ વાત સાંભળ્યા બાદ વિરાટ કોહલીએ જવાબ આપ્યો કે દરેક મેચમાં તે કેવી રીતે ઈન્વોલ્વ રહે છે. કોહલીએ કહ્યું કે તે મેદાન પર પોતાનો જીવ રેડી દે છે અને તેનું ઉર્જા સ્તર હંમેશાં ટોચ પર હોય છે. આ દરમિયાન કોહલીએ કહ્યું કે જે દિવસે હું મેદાનમાં 120 ટકા યોગદાન નહીં આપું, એ જ દિવસથી હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લઈશ
વિરાટ કોહલીએ કહ્યું, હું જ્યારે પણ મેદાન પર ધોની સાથે ઉતરતો ત્યારે દરેક ઓવરમાં હું તેમને કંઈકને કંઈક સલાહ આપતો રહેતો હતો. મને ક્રિકેટ રમવામાં મજા આવે છે અને હું દરેક બોલ પર 120 ટકા આપું છું. હું બીજી કોઈ રીતથી રમી શકતો નથી, જેથી મેં મારી જાતને વચન આપ્યું છે કે, જે દિવસે હું આ રીતે રમી નહીં શકું ત્યારે ક્રિકેટને અલવિદા કહી દઈશ. મારા સાથી ક્રિકેટરો કહે છે કે, હું વિકેટ પડતાં બધાંથી વધારે સેલિબ્રેટ કરું છું, પણ હું આમાં કંઈ કરી શકતો નથી.