વિરાટ કોહલીએ t20 બાદ ODI ક્રિકેટની કમાન પણ ગુમાવી દીધી છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેના સ્થાને રોહિત શર્માને ધુરા સોંપવામાં આવી હતી.
BCCIએ વિરાટ પાસેથી કેપ્ટનશીપ છીનવી
2023 વર્લ્ડ કપ માટે નિર્ણય
48 કલાકનું અલ્ટિમેટમ
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને ODI ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેને વિરાટ કોહલીના સ્થાને આ કમાન આપવામાં આવી છે. આ વર્ષે વિરાટે ODI ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. પરંતુ આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે વિરાટ ODI ટીમની કમાન છોડવા માંગતો ન હતો અને BCCIએ તેની પાસેથી બળજબરીથી કેપ્ટનશિપ છીનવી લીધી છે.
BCCIએ વિરાટ પાસેથી કેપ્ટનશીપ છીનવી
વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ થવાનું જ હતું અને બુધવારે BCCIએ વિરાટ કોહલીને ભારતની ODI ટીમના કેપ્ટન પદ પરથી હટાવીને રોહિત શર્માને દોર સોંપી દીધી હતી. BCCI 48 કલાકથી કોહલીના ODI ટીમની કેપ્ટનશીપ છોડવાની રાહ જોઈ રહ્યું હતું પરંતુ તેણે તેમ કર્યું ન હતું. ત્યારબાદ 49માં કલાકમાં કોહલીએ રોહિત શર્મા સામે આ સ્થાન ગુમાવ્યું હતું. કોહલીની હકાલપટ્ટીનો ઉલ્લેખ બીસીસીઆઈના નિવેદનમાં પણ કરવામાં આવ્યો ન હતો જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે પસંદગી સમિતિએ આગળ જતાં રોહિતને ODI અને T20I ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કોહલીએ કોઈ સ્પષ્ટ કારણ વગર તેની કેપ્ટનશીપ ગુમાવી દીધી.
કોહલીની શાનદાર સફર
કોહલીની કેપ્ટનશીપનો સમયગાળો એક અદ્ભુત કહાની રહ્યો છે. જેમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ હતી અને એક રોમાંચક સફળ સફર રહી હતી. 'કૂલ' મહેન્દ્ર સિંહ ધોનીએ કોહલીને તેના નેતૃત્વમાં તૈયાર કર્યો અને પછી જ્યારે તેને લાગ્યું કે સમય આવી ગયો છે, ત્યારે તેણે તેને વ્હાઈટ બોલની કેપ્ટન્સીની જવાબદારી સોંપી દીધી. આગામી 2 વર્ષમાં, કોહલી ટીમનો સારો અને સફળ કેપ્ટન બની ગયો હતો. ત્યારપછી સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રબંધકોની સમિતિ બનાવવામાં આવી હતી જેણે તેમની દરેક માંગણી, કેટલીક સાચી અને કેટલીક ખોટી, બધી પૂરી કરી હતી. ત્યારપછી પરંપરાગત પ્રશાસકોનું પુનરાગમન થયું, જેમાં અત્યંત શક્તિશાળી સચિવો અને પ્રમુખો હતા જેઓ પોતે જ સફળ કેપ્ટનશીપની વિગતો જાણતા હતા. અંતે, વ્હાઈટ બોલના બંને ફોર્મેટ માટે બે અલગ-અલગ કેપ્ટન માટે કોઈ સ્થાન નહોતું અને વિરાટે ત્રણેય ફોર્મેટમાં સારી કેપ્ટન્સી કરી હતી.
2023 વર્લ્ડ કપ માટે નિર્ણય
BCCI અને રાષ્ટ્રીય પસંદગી સમિતિએ કોહલીને સુકાનીપદેથી હટાવી દીધો હતો કારણ કે તેઓ 2023 ODI વર્લ્ડ કપ સુધી નવો કેપ્ટન બનાવવા માંગે છે. ભારત ટી20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું, ત્યારે જ કોહલીની કેપ્ટનશિપમાંથી હટાવવાનું લગભગ નિશ્ચિત હતું પરંતુ BCCIના અધિકારીઓ છેલ્લા સાડા ચાર વર્ષથી ટીમના કેપ્ટનને સન્માનજનક રસ્તો આપવા માંગતા હતા. આખરે કોહલીના હાથમાંથી ટીમની કમાન ગઈ હતી.