IPL 2021ના એલિમિનેટર મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી દીધી હતી. સાથે જ વિરાટના કેપ્ટન તરીકેના સફરનો પણ અંત આવ્યો છે.
વિરાટે છેલ્લી મૅચમાં કરી બબાલ
ઍમ્પાયરે બદલ્યો પોતાનો નિર્ણય
ચહલની વિકેટ પર થઇ હતી માથાકૂટ
એમ્પાયર સાથે બબાલ
છેલ્લી મૅચમાં કોહલીની એમ્પાયર સાથે બબાલ થઇ ગઇ હતી. KKRની ઇનિંગની સાતમી ઓવરમાં આ ઘટના ઘટી હતી. લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ બોલીંગ કરી રહ્યો હતો અને સ્ટ્રાઇક પર રાહુલ ત્રિપાઠી હતા.
ચહલની એક ગૂગલી બોલને રાહુલે જોયો નહી અને બોલ સીધી તેના પેડ પર જઇને ટકરાઇ ગઇ હતી. RCBના ખેલાડીઓએ LBWની જોરદાર અપીલ કરી હતી પરંતુ એમ્પાયરે રાહુલને નોટ આઉટ આપ્યો હતો. ત્યારે કોહલીએ વિકેટકીપરને પૂછ્યું કે બોલ સીધો પેડ પર વાગ્યો છે ને? વિકેટ કીપરનું ગ્રીન સિગ્નલ મળ્યા બાદ કોહલીએ રિવ્યૂં લીધો હતો.
રિવ્યૂ બાદ એમ્યાયરે બદલ્યો નિર્ણય
રિવ્યૂમાં ચહલનો બોલ સીધો મિડલ સ્ટંપને હીટ કરતો નજર આવ્યો હતો. રીપ્લે જોઇને RCBના ખેલાડીઓ તેમજ કેપ્ટનને પાક્કો ભરોસો થઇ ગયો હતો કે રાહુલ ત્રિપાઠી LBW છે. બાદમાં ફીલ્ડ એમ્પાયરે પોતાનો નિર્ણય બદલી દેવો પડ્યો હતો. કોહલીના ચહેરા પર નારાજગી સાફ દેખાઇ રહી હતી. બંને વચ્ચે ઘણા સમય સુધી વાત થઇ હતી.
સારી વાત તે છે કે વિરાટ અને એમ્પાયર વિરેન્દ્ર શર્મા વચ્ચે આ વિવાદનો અંત એક સ્માઇલ સાથે થયો હતો. આ મૅચમાં ત્રીજીવાર થયું કે એમ્પાયરે પોતાનો નિર્ણય બદલી દેવો પડ્યો હતો. તે પહેલા RCBની બેટિંગ દરમિયાન પણ તેમના 2 નિર્ણય ખોટા સાબિત થયા હતા.
ગવાસ્કર થયો નારાજ
આ મૅચમાં કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય કપ્તાન સુનીલ ગવાસ્કરે વિરાટના આ અંદાજને યોગ્ય ન ગણાવ્યો. તેમણે કહ્યું કે જો એમ્પાયર RCBના કેપ્ટનને સફાઇ આપવા ગયા છે તો આ ખોટું છે.