ચાર વર્ષના લાંબા ગાળા બાદ એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યોહોઇ આગામી 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે છે.
એશિયા કપમાં પાકિસ્તાન સામે મેચને લઈને કેપ્ટન રોહિતનો હુંકાર
ભારતને ટ્રોફી અપાવવી છે, ફરી તિરંગો લહેરાવવો છે: રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટને મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીઓના વખાણ કર્યા
એશિયા કપમાં પાકિસ્તાન સામે મેચને લઈને કેપ્ટન રોહિતે હુંકાર કર્યો છે. ચાર વર્ષના લાંબા ગાળા બાદ એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીઓના વખાણ કર્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધાને લઈને સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ખૂબ જ ખાસ પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. આ પ્રોમોમાં રોહિત શર્માએ કહ્યું, "અમારી વચ્ચે એક રેખા છે જે ક્રિઝ સુધી દોરવામાં આવે છે. ક્રિકેટ સાથે અમારો ઘણો જૂનો સંબંધ છે. સમગ્ર લાઇનમાં સારા ખેલાડીઓ છે.
રોહિત શર્માએ આગળ કહ્યું, “આજે આ લાઇને ફરી અવાજ આપ્યો છે. આજે મારા ભારતે 8મી વખત કપ જીતવો છે. મારા ભારતે આખી દુનિયામાં તિરંગો ફરકાવવાનો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રોમોમાં રોહિત શર્માની સામે શાહીન શાહ આફ્રિદી બતાવવામાં આવ્યો છે. જોકે ભારત માટે પાકિસ્તાનનો પડકાર આસાન બનવાનો નથી. ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપની મેચમાં ભારતને હરાવવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયાની નજર હવે પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લેવા પર રહેશે. આ સાથે આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ એશિયા કપ જીતવામાં સફળ થશે, તેને ટી 20 વર્લ્ડ કપ માટે પણ ફાયદો થશે.