બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઈગ્લેંડ સામે વિજયી પારી રમ્યા બાદ બોલ્યો કેપ્ટન રોહિત શર્મા, કહ્યું આ ટ્રિક કામ કરી ગઈ
Last Updated: 09:05 AM, 10 February 2025
India vs England: ટી20માં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ વનડે શ્રેણી પણ કબજે કરી લીધી છે. ભારતે કટકમાં બીજી વનડે 4 વિકેટે જીતીને શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી. કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ઝડપી સદી ફટકારી. પરંતુ હિટમેને પાછળથી ફ્લોપ શો વચ્ચે આ કેવી રીતે બન્યું તેનું રહસ્ય ખોલ્યું.
ADVERTISEMENT
A Captain's knock by @ImRo45 , he smashes his 32nd ODI century in style!
— Star Sports (@StarSportsIndia) February 9, 2025
📺 Start watching FREE on Disney+ Hotstar ➡ https://t.co/1Z9DlYa3MT#INDvENGOnJioStar 2nd ODI 👉 LIVE NOW on Disney+ Hotstar & Sports 18-1! pic.twitter.com/8TjAGQHrFO
ટી20માં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ વનડે શ્રેણી પણ કબજે કરી લીધી છે. ભારતે કટકમાં બીજી વનડે 4 વિકેટે જીતીને શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી. મેચમાં જીતના સારા સમાચાર ચાહકો સુધી પહોંચ્યા એટલું જ નહીં, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રોહિત શર્માના ફોર્મ અંગેનું ટેન્શન પણ પુરુ થઈ ગયું છે. કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ઝડપી સદી ફટકારી. તેમજ હિટમેને ફ્લોપ શો વચ્ચે આ કેવી રીતે બન્યું તેનું રહસ્ય પણ ખોલ્યું. તેણે મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ જીત્યો.
ADVERTISEMENT
રોહિતે ફટકારી આતિશી સદી
રોહિત શર્માએ કટકમાં ઈંગ્લેન્ડની જબરજસ્ત ક્લાસ લીધી. તેણે 90 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા અને 119 રનની જબરદસ્ત ઇનિંગ રમી. 19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવાની છે, તે પહેલાં રોહિત શર્માનું ફોર્મ પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યું હતું. નજર કોહલી પર પણ હતી, પરંતુ વિરાટ મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો.
રોહિત શર્માએ શું કહ્યું?
મેચ પછી રોહિતે કહ્યું, 'મેં ખરેખર કેવી રીતે બેટિંગ કરવી તે વિશે ટુકડાઓમાં વિચાર્યું. આ 50 ઓવરનું ફોર્મેટ છે, જે T20 ફોર્મેટ કરતાં થોડું લાંબુ અને ટેસ્ટ ક્રિકેટ કરતાં થોડું ટૂંકું છે, પરંતુ સ્વાભાવિક છે કે તમારે હજુ પણ તેને તોડીને નિયમિત અંતરાલે શું કરવાની જરૂર છે તેનું મૂલ્યાંકન કરવું પડશે. અને આ જ હું કરતો રહ્યો. આ એક બેટ્સમેન માટે મહત્વપૂર્ણ હતું. જે કોઈ સેટલ થાય છે તેણે શક્ય તેટલું સમજીને બેટિંગ કરવી જોઈએ અને મારું ધ્યાન તેના પર હતું.
આ પણ વાંચોઃ રોહિતની તોફાની સદીની આંધીમાં ઉડી ઈંગ્લેન્ડની ટીમ, ભારતનો વનડે સીરિઝ પર કબજો
બટલર નિરાશ થયો
ઇંગ્લેન્ડે શ્રેણીમાં ટક્કર આપવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ પરંતુ ટીમનું મિશન નિષ્ફળ ગયું. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર નિરાશ દેખાતા હતા. તેણે કહ્યું, 'અમે બેટિંગમાં સારી સ્થિતિમાં આવી રહ્યા હતા પરંતુ અમે તેનો લાભ ઉઠાવી શક્યા નહીં.' જો 350 રન બનાવ્યા હોત તો પરિણામ કદાચ અલગ હોત. પરંતુ રોહિતે શાનદાર ઇનિંગ્સ રમી અને તે લાંબા સમયથી આ કરી રહ્યો છે. અમે પાવરપ્લેમાં સારું પ્રદર્શન કર્યું પણ જો અમે 330-350 સુધી પહોંચ્યા હોત તો અમે તે સ્કોર બચાવી શક્યા હોત. અમે ફક્ત સાચી દિશામાં આગળ વધવા અને સકારાત્મક રહેવા માંગીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.