સૂર્યકુમારે તેમની ઇનિંગ દરમિયાન 55 બોલ રમી હતી અને એ 55 બોલમાં સૂર્યકુમારે 14 ચોકા અને 6 છગ્ગા લગાવ્યા હતા.
રવિવારે બર્મિઘમમાં ઈંગ્લેન્ડ સામે સુર્યકુમાર યાદવે સદી ફટકારી હતી
સુર્યકુમારની આ ઇનિંગ ભારત માટે આ ટી20 સિરીજમાં બીજો સર્વોચ્ચ સ્કોર છે
વાઇરલ થયેલ એ ટ્વિટ રોહિત શર્માએ 10 ડિસેમ્બર 2011 ના રોજ કર્યો હતો
સુર્યકુમાર યાદવ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી લગાવનાર પાંચમા ભારતીય ખેલાડી બની ગયા છે. એમને રવિવારે બર્મિઘમમાં ઈંગ્લેન્ડ સામે રમવામાં આવેલ ત્રીજા અને છેલ્લા ટી20 મેચમાં એક શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે તેમની ઇનિંગ દરમિયાન 55 બોલ રમી હતી અને એ 55 બોલમાં સૂર્યકુમારે 14 ચોકા અને 6 છગ્ગા લગાવ્યા હતા.
ટી20 ઇન્ટરનેશનલમાં રનનો લક્ષ્ય મેળવવા માટે સદી ફટકારનાર બીજા ખેલાડી બની ગયા છે. આ પહેલા આ કારનામો કે એલ રાહુલ કરી ચૂક્યા છે. સુર્યકુમારની આ ઇનિંગ ભારત માટે આ ટી20 સિરીજમાં બીજો સર્વોચ્ચ સ્કોર છે. પહેલા નંબર પર રોહિત શર્મા છે જેમને 118 રનની ઇનિંગ રમી હોવાનો રેકોર્ડ છે.
સુર્યકુમારે સદી ફટકારી એ સાથે જ રોહિત શર્માનો 11 વર્ષ જૂનો ટ્વિટ વાઇરલ થવા લાગ્યો હતો . હાલ વાઇરલ થયેલ એ ટ્વિટ રોહિત શર્માએ 10 ડિસેમ્બર 2011 ના રોજ 9 વાગ્યા અને 33 મિનિટ પર કર્યો હતો અને તેમ હીટમેને સુર્યકુમારની ખૂબ જ પ્રસંશા કરી હતી અને આગળ લખ્યું હતું કે તે ભવિષ્યમાં સુર્યકુમારને મુંબઈમાં રમતા જોવા માંગે છે.
રોહિતે તેના ટ્વિટમાં લખ્યું હતું કે ' અત્યારે ચેન્નઈમાં બીસીસીઆઈના પુરસ્કારમાં શામેલ થયા છે અને આગળ સુર્યકુમાર યાદવને ભવિષ્યમાં મુંબઈથી રમતા જોવા ઈચ્છે છે.' સૂર્યકુમારે શતક લગાવી ત્યારથી રોહિતનો આ જૂનો ટ્વિટ ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
Just got done with BCCI awards here in chennai..some exciting cricketers coming up..Suryakumar yadav from Mumbai to watch out for in future!