છેલ્લા એક વર્ષમાં બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાના અડધો ડઝન કેપ્ટન્સમાં ફેરફાર કર્યા છે. બીસીસીઆઈની આ ભૂલ ટી-20 વર્લ્ડ કપ 2022માં ક્યાંક ભારે ન પડે
ભારતીય ટીમે વર્ષમાં જોયા 6 કેપ્ટન
આવનારી મેચમાં બનશે હાર્દિક કેપ્ટન
કે એલ રાહુલની ઈજાના કારણે પંત કેપ્ટન
કેપ્ટનમાં ઘણીવાર બદલાવ
બીસીસીઆઇએ ઈન્ડિયાની આયર્લેન્ડના પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022માં જીત હાંસલ મળી હતી અને આઈપીએલનો ખિતાબ ગુજરાતના નામે કર્યો હતો. હાર્દિક પંડ્યાની સાથે બીસીસીઆઈએ છેલ્લા એક વર્ષમાં ભારતીય ટી-20 ટીમ માટે આ છઠા કેપ્ટનની પસંદગી કરી છે. બીસીસીઆઇના કેપ્ટનમાં સતત ફેરફાર કરવાના નિર્ણયને કારણે ક્યાંક ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પર ભારે ફટકો ન પડે.
જુલાઈ 2021માં શિખર ધવન બન્યો કેપ્ટન
ગયા વર્ષે બીસીસીઆઈએ શિખર ધવનને કેપ્ટન બનાવ્યો હતો, ત્યારબાદ સીનિયર ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી અને શિખર ધવને શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમને ટી-20 શ્રેણીમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ કેપ્ટન બન્યા બાદ શિખર ધવનની કરિયર ખતરામાં હતી અને તેને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
કોહલીની કેપ્ટન્સીમાં રમાયેલો વર્લ્ડ કપ
સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ 2021માં ભાગ લીધો હતો. ટી-20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડયો. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી નહોતી. આ કારણે ટી-20 વર્લ્ડકપમાં ભારતના ખરાબ પ્રદર્શનના કારણે કોહલી પાસેથી કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હતી.
રોહિત શર્માએ ભારતને અપાવી જીત
વિરાટ કોહલીની કેપ્ટનશિપમાંથી હટી ગયા બાદ રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિતની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ટીમે વેસ્ટઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે ક્લિન સ્વિપ કર્યું હતું. રોહિતની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા એક પણ ટી-20 મેચ હારી નથી.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો
રોહિત શર્માની ઈજાના કારણે કેએલ રાહુલને સાઉથ આફ્રિકા પ્રવાસ પર કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાહુલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે સતત ત્રણ ટી-20માં હારી ગઈ હતી, પણ રાહુલે બેટ્સમેન તરીકે સારો દેખાવ કર્યો. દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચ મેચોની ટી-20 સિરીઝ રમવા માટે ભારત આવી ત્યારે ટીમ ઇન્ડિયાને કેએલ રાહુલની કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ રાહુલની ઇજાના કારણે કેપ્ટનશિપ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના હાથમાં ગઇ હતી. પંતની કેપ્ટનશિપમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે આયર્લેન્ડના પ્રવાસ પર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.