બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / captain kohli said team did not deserve win bolers and fielders did not do well in last one day
Last Updated: 11:30 AM, 12 February 2020
ADVERTISEMENT
આ હાર કોઈ સામાન્ય હાર નથી. 31 વર્ષ બાદ ભારતની આવી શરમજનક હાર થઇ છે. 1989માં વેસ્ટઇન્ડીઝે ભારતને 5-0થી હરાવ્યું હતું તે બાદ આ પહેલો મોકો હતો જયારે ભારત કોઈ સીરીઝમાં ક્લીન સ્વીપથી હાર્યું હોય. એવામાં હવે ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું હાર મુદ્દે નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
કોહલીએ કહ્યું અમારું પ્રદર્શન જીતને લાયક હતું જ નહીં
આ કારમા પરાજય માટે કોહલીએ હારનું ઠીકરું બોલર્સ અને ફિલ્ડર્સ પર ફોડ્યું છે. કોહલીએ કહ્યું 'વન ડે સીરીઝમાં જે રીતે ખરાબ પરિસ્થિતિમાં મેચમાં વાપસી કરી એ વખાણવાલાયક છે. જોકે અમે જે રીતે બોલિંગ અને ફિલ્ડીંગ કરી તે મેચ જીતવા લાયક ન હતી. આવા પ્રદર્શનથી અમે જીતને લાયક હતા ન નહીં. '
કોહલીએ વધુમાં કહ્યું કે 'અમે કંઈ એટલું ખરાબ ન હતા રમ્યા પરંતુ અમે તક ઝડપી ન શક્યા. અમારી ટીમમાં જે નવા ખેલાડીઓ આવ્યા છે તેમના માટે આ સારો અનુભવ રહ્યો હતો. કીવી ટીમ વધુ જુસ્સા સાથે રમી રહી હતી. તે આ સીરીઝને 3-0 જીતવાના હકદાર હતા. '
કોહલી માટે કડવો અનુભવ
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી માટે પણ આ ખૂબ શરમજનક હાર હતી. કોહલીની કેપ્ટનશીપમાં આ પહેલો મોકો હતો જયારે ભારતીય ટીમને આ પ્રકારે ધૂળ ચાટવી પડી હોય. આ પહેલાં કોહલીની આગેવાનીમાં ક્યારેય ભારતની આવી હાર નથી થઇ. ત્યારે કોહલી માટે પણ આ સીરીઝ એક કડવા અનુભવ તરીકે યાદ રહેશે તે નક્કી છે.
Photo Courtesy : ANI
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.