ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ગુરુવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ચોથી ટી20 મૅચમાં સોફ્ટ સિગ્નલ કોન્ટ્રોવર્સી પર નાખુશ છે.
સોફ્ટ સિગ્નલના શિકાર થયા બે ખેલાડી
વિરાટ કોહલી સોફ્ટ સિગ્નલ પર ભડક્યો
એમ્પાયર પાસે વિકલ્પ હોવા જોઇએ : કોહલી
When you say your team wasn't defeated by a national team but by a franchise team, you're not trolling your opponents, you're trolling your own team. Night all. #INDvsENG
સોફ્ટ સિગ્નલ હેઠળ ભારતના બે બેટ્સમેન સુર્યકુમાર યાદવ અને વોશિંગટન સુંદરને આઉટ આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે મૅચ બાદ કહ્યું નિયમોને સરળ બનાવવા જોઇએ જેનાથી મૅચના નિર્ણયમાં કોઇને મનદુઃખ ન થાય.
કોહલીએ કહ્યું ટેસ્ટ સિરીઝમાં પણ આવુ જ થયુ હતુ. જ્યારે હું રહાણે પાસે ઉભો હતો ત્યારે તેણે કેચ પકડ્યો હતો પરંતુ તે એ વાતને લઇને અસ્વસ્થ હતો કે નિર્ણય થર્ડ એમ્પાયર પાસે ગયો. જો ફિલ્ડરને કેચને લઇને કોઇ ડાઉટ હોય તો સ્વેર લેગ પાસે ઉભેલા એમ્પાયર તેને કેવી રીતે સાફ જોઇ શકે છે. માટે સોફ્ટ સિગ્નલ ખુબ મહત્વનો થઇ ગયો છે અને આ નિયમમાં બદલાવ આવવો જોઇએ. એમ્પાયર પાસે મને ખબર નથીનો વિકલ્પ કેમ નથી. આ પ્રકારનો નિર્ણય મૅચની કાયાપલટ કરી શકે છે.
ક્યારે થયો વિવાદ
આ વિવાદની શરૂઆત 14મી ઓવરથી થઇ હતી. સુર્યકુમાર યાદવ 57 રન પર હતો અને તેણે ઇંગ્લેન્ડના બોલર સેમ કર્રનની બોલ પર પેડલ સ્વિપ રમી. બોલ ડીપ ફાઇન લેગ પર ઉભેલા ડેવિડ મલાન તરફ ગઇ હતી અને મલાને ડાઇવ કરીને કેચ પકડ્યો હતો. જો કે તેને કેચને લઇને શંકા હતી માટે તેણે થર્ડ એમ્પાયરની મદદ માંગી પરંતુ તે પહેલા આઉટનુ સોફ્ટ સિગ્નલ આપ્યુ હતુ. બાદમાં સુર્યકુમારને પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ.
વોશિંગ્ટન સુંદર પણ સોફ્ટ સિગ્નલનો શિકાર
સુર્યકુમાર યાદવની જેમ વોશિંગ્ટન સુંદર પણ સોફ્ટ સિગ્નલનો શિકાર થયો હતો. તેણે જોફ્રા આર્ચરના બોલ પર થર્ડમેન તરફ શોટ રમ્યો હતો. ત્યાં ઉભેલા આદિલ રાશિદે બોલ પકડ્યો હતો, તે બાઉન્ડ્રી લાઇનની નજીક હતો તો તેને પણ સોફ્ટ સિગ્ન દ્વારા આઉટ કરી દેવામાં આવ્યો હતો.
એમ્પાયર કેમ આપે છે સોફ્ટ સિગ્નલ
ઘણા ક્રિકેટપ્રેમીઓના મનમાં સવાલ આવે કે કેમ એમ્પાયર સોફ્ટ સિગ્નલ આપે છે. ICCના નિયમોમાં છપાયેલુ છે કે જ્યારે એમ્પાયર તેના નિર્ણયને લઇને શ્યોર ન હોય તે ત્યારે થર્ડ એમ્પાયરની મદદ લઇ શકે છે પરંતુ તે પહેલા તેને એક સોફ્ટ સિગ્નલ આપવુ પડે છે જે આઉટ કે નોટ આઉટનું હોઇ શકે છે. જ્યારે પણ થર્ડ એમ્પાયર નિર્ણય ન લઇ શકે ત્યારે એમ્પાયરે આપેલુ સોફ્ટ સિગ્નલ જ માન્ય રાખવામાં આવે છે.