બાર્જ કેપ્ટને વાવાઝોડાની ચેતવણીને ગંભીરતાથી નહોંતી લીધી. જેના કારણે ચાલક દળના ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે.
ચાલક દળના ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા
વાવાઝોડા અંગે લગાવવામાં આવ્યુ ખોટું અનુમાન
કેપ્ટન અને ક્લાઈન્ટના કારણે આ દુર્ઘટના થઈ
ચાલક દળના ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા
મુંબઈના દરિયાઈ ક્ષેત્રમાં ચક્રવાત તૌક્તે દરમિયાન ડૂબેલા બાર્જ પી-305ના મુખ્ય એન્જિનિયર રહેમાન શેખે ગુરુવારે આરોપ લગાવ્યો કે બાર્જ કેપ્ટને વાવાઝોડાની ચેતવણીને ગંભીરતાથી નહોંતી લીધી. જેના કારણે ચાલક દળના ઓછામાં ઓછા 49 લોકોના મોત થયા છે. રહેમાને બાર્જની સમુદ્રી યાત્રાને યોગ્ય હોવાને લઈને સવાલ કર્યા છે.
વાવાઝોડા અંગે લગાવવામાં આવ્યુ ખોટું અનુમાન
પી 305 બાર્જ સોમવારે સાંજે અરબ સાગરમાં ડૂબી ગયુ હતુ. આ સરકારી કંપની ઓએનજીસીના અપટતીય તેલ ખનન પ્લેટફોર્મના મેન્ટેન્સનું કામ કરવામાં લાગેલા કર્મી હાજર હતા. શેખ આ દુર્ઘટનામાં ઘાયલ થઈ ગયા હતા. તેમણે સ્વસ્થ્ય થયા બાદ એક વીડિયોમાં કહ્યુ કે કેપ્ટન બલવિંદર સિંહે જોર આપ્યુ કે હવાની સ્પીડ બહું તેજ નહીં હોય અને ચક્રવાર ફક્ત એક કલાક રોકાશે.
કેપ્ટન અને ક્લાઈન્ટના કારણે આ દુર્ઘટના થઈ
આ વીડિયો શેખના ભાઈ આલમે શૂટ કર્યો છે. આલમે આ વીડિયો શેર કર્યો જેમાં શેખ કહે છે કે કેપ્ટને કહ્યુ કે હવાની સ્પીડ 75 કિલોમીટર પ્રતિકલાકથી વધારે નહીં હોય. આ 11 વાગે શરુ થશે અને 12 વાગે ખતમ થઈ જશે. આ સમગ્ર ઘટના કેપ્ટન અને ગ્રાહક (ક્લાઈન્ટ)ની કારણે થઈ છે. ઉલ્લેખનીય છે કે બલવિંદર સિંહ તે 26 લોકોમાં સામિલ છે જે હજું પણ ગુમ છે
લાઈફ જેકેટ વગર પાણીમાં કુદ્યા
ઉલ્લેખનીય છે કે આ જીવન રક્ષક જેકેટ વગર સમુદ્રમાં કુદ્યા હતા. રહેમાનને પણ 24 કલાકમાં પાણીમાં કહેવું પડ્યુ અને પછી નૌસેનાએ તેમણે બચાવ્યા બાર્જમાં 261 લોકો હતા.
186ને બચાવવામાં આવ્યા 26 હજુ ગુમ
બાર્જ પી 305 પર હાજર 261 લોકોમાં 186 લોકોના જીવ બચાવી લેવાયા છે. 26 લોકો હજુ પણ ગુમ છે અને તેમને શોધવા નૌસેના અને જમીન દળ એક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ કે બહુ ખરાબ હવામાનના કારણે નૌસેનાના જવાનો અત્યાર સુધીમાં 186 લોકોને બચાવી લીધા છે. નૌસેનાના પોત તથા વિમાન પી 305 પર હાજર રહ્યા ગુમ લોકોની શોધ કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ કે હવે ગુમ લોકોના જીવતા રહેવાની શક્યતા બહું ઓછી છે.