પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સ્વીકાર્યુ કે કોરોનાનું સંક્રમણ હજુ વધારે ફેલાશે. તેમણે વિશેષજ્ઞોના હવાલાથી કહ્યું હતુ કે આવનારા મહિનાઓમાં આ ચરમ સીમાએ પહોંચશે. સપ્ટેમ્બર સુધીમાં દેશમાં લગભગ 58 ટકા આબાદી આનાથી પ્રભાવિત હશે. તેમણે કેન્દ્ર પાસે અપીલ કરી છે કે તે નાણાંકીય મદદ આપે.
પંજાબના સીએમએ કેન્દ્ર પાસે આર્થિક મદદ માંગી
અમરિન્દરે કહ્યું રાજ્યામાં ટેસ્ટિંગ કિટ પુરતી નથી
મધ્ય પ્રદેશ બાદ ત્રિપુરામાં એસ્મા લાગુ
પંજાબના સીએમ અમરિન્દર સિંહે સ્વીકાર્યુ કે પંજાબની આબાદીના હિસાબે જેટલી સંખ્યામાં લોકોનું ટેસ્ટિંગ થવું જોઈએ. તેટલી નથી થઈ રહી. 2.8 કરોડની આબાદીમાં અત્યારે 2877 લોકોની તપાસ થઈ છે. તેમણે એમ પણ જણાવ્યું કે પંજાબના કેટલાય એવા કેસ સામે આવ્યા છે જેમની કોઈ વિદેશ હિસ્ટ્રી નથી. રાજ્યમાં 1 લાખ 40 હજાર લોકો વિદેશથી આવ્યા છે. જેમાં બીજા દેશમાં રહેનારા એનઆરઆઈનો પણ સમાવેશ થાય છે. જેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નિઝામુદ્દીનથી 651 જમાતિઓના આવવાની સૂચના મળી હતી.
ત્રિપરામાં એસ્મા લાગુ
ત્રિપુરા સરકારે ગુરુવારે મોડી રાતે રાજ્યમાં જરુરી સેવાઓ મેનેજમેન્ટ એક્ટ (એસ્મા) (Essential Services Management Act) (ESMA)લાગુ કરવામાં આવ્યો છે.ત્રિપુરામાં એક સરકારી હોસ્પિટલોમાં કેટલીક નર્સો દ્વારા માસ્ક અને અન્ય સુરક્ષાત્મક ઈક્વિપમેન્ટની અછતની ફરિયાદ મળ્યા બાદ સરકારે આ અધિનિયમ જાહેર કર્યો હતો. ત્રિપુરા, મધ્ય પ્રદેશ પછી એસ્મા લાગુ કરનાર બીજુ રાજ્ય બન્યુ. એસ્મામાં જોગવાઈનો ભંગ કરનારા વ્યક્તિની કોઈ પણ વોરન્ટ વગર ધરપકડ કરવાનો અધિકાર પોલીસ પાસે હોય છે.