કેન્દ્ર સરકાર તરફથી બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ને પંજાબમાં બોર્ડરથી 50 કિલોમીટર વિસ્તારમાં કાર્યવાહીનો અધિકાર આપવા પર પંજાબમાં રાજકારણ ગરમાયું છે.
ગૃહ મંત્રાલયે 3 બોર્ડરના રાજ્યોમાં વધાર્યો BSFનો અધિકાર વિસ્તાર
બોર્ડરના 15 કિલોમીટરના બદલે 50 કિલોમીટર અંદર સુધી થશે દખલ
પંજાબ અને પશ્ચિમ બંગાળની સરકારોએ ખુલીને આ નિર્ણયનો કર્યો વિરોધ
મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડમાં ઘટાડવામાં આવ્યો છે BSFનો વિસ્તાર
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ઘમાસાણ શરૂ થઇ ગયું છે. આ વખતે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની આમને-સામને આવી ગયા છે. બન્ને વચ્ચે બૉર્ડર સિક્યોરિટી ફોર્સને વધુ અધિકાર આપવાના નિર્ણયને લઇને વિવાદ વકર્યો છે. એક તરફ સીએમ ચન્નીએ કેન્દ્રના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટને આ નિર્ણયનું સ્વાગત્ કર્યું છે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય સીધો હુમલો છેઃ પંજાબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય સંઘીય માળખા પર સીધો હુમલો છે. BSFને 50 કિલોમીટર સુધી કાર્યવાહીનો અધિકાર આપવાનો નિર્ણય તર્કહીન છે. હું ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરું છું કે તે આ નિર્ણયને પરત લે.
I strongly condemn the GoI's unilateral decision to give additional powers to BSF within 50 KM belt running along the international borders, which is a direct attack on the federalism. I urge the Union Home Minister @AmitShah to immediately rollback this irrational decision.
BSFને મળલી વધારાની શક્તિથી આ સ્થિતિ કંટ્રોલમાં આવશેઃ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન
જોકે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ નિર્ણયનું સ્વાગત્ કર્યું છે. તેમણે સેનાને રાજનીતિમાં ન ધકેલવાની વાત કહી છે. મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટ કરીને કેપ્ટનના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આપણા જવાન કાશ્મીરમાં શહીદ થઇ રહ્યા છે. આપણે જોઇ રહ્યા છીએ કે પંજાબમાં પાકિસ્તાન સમર્થિત આતંકી હથિયાર અને ડ્રગ્સ મોકલી રહ્યા છે. તેવામાં બીએસએફની હાજરી અને વધેલી શક્તિઓ આપણને મજબૂત બનાવશે. કેપ્ટને એ પણ કહ્યું કે, જ્યાર ભારતની સુરક્ષાની વાત આવે છે તો આપણે રાજનીતિથી ઉપર ઉઠવું પડશે.
‘Our soldiers are being killed in Kashmir. We’re seeing more & more weapons & drugs being pushed by Pak-backed terrorists into Punjab. BSF’s enhanced presence & powers will only make us stronger. Let’s not drag central armed forces into politics’: capt_amarinder 1/2
(File pic) pic.twitter.com/nu4DhAQnAz
ભાજપે આ નિર્ણયને ગણાવ્યો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો
ભાજપે કેન્દ્રના આ નિર્ણયનો બચાવ કરતા આને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણાવ્યો છે. સાથે જ આ મામલે તમામ પક્ષોને રાજનીતિ ન કરવાની અપીલ કરી છે.
આ નિર્ણય રાજ્યને વાસ્તવિક કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલવાનોઃ અકાળી દળ
શિરોમણિ અકાળી દળે કેન્દ્રના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. અકાળી દળે અંદાજિત અડધા રાજ્યને બીએસએફના હવાલે કરવાના નિર્ણયને આટલા ભાગમાં પરોક્ષ રીતે રાષ્ટ્રપતિ શાસન લગાવવું ગણાવ્યું છે. આ નિર્ણય રાજ્યને વાસ્તવિક કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલવાનો છે. રાજ્યને સીધા કેન્દ્ર શાસન હેઠળ કરવાના આ પ્રયાસનો વિરોધ થવો જોઇએ અને વિરોધ કરવામાં આવશે.
એક નિવેદનમાં એકાળી દળના નેતા ડૉ. દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, બંધારણિય જોગવાઈનો દુરૂપયોગ કરીને સંઘીય સિદ્ધાંત પર હુમલો થયો છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે બીએસએફને રાજ્યની પોલીસની સામાન્ય ડ્યૂટી છીનવી વ્યાપક શક્તિઓ આપવામાં આવી છે. બંધારણ અનુસાર, માત્ર રાજ્ય સરકાર જ બીએસએફને રાજ્ય તંત્રની મદદ માટે બોલાવી શકે છે. રાજ્ય સરકારના અનૌપચારિક અનુરોધ વગર કેન્દ્ર આ રીતે ધક્કાશાહી ન કરી શકે.
બોર્ડરના 15 કિલોમીટરના બદલે 50 કિલોમીટર અંદર સુધી થશે દખલ
બીએસએફ હવે પાકિસ્તાનથી જોડાયેલી બોર્ડર પર ભારતીય વિસ્તારમાં 50 કિલોમીટર સુધી કોઇ પણ કાર્યવાહી કરી શકશે. હવે બીએસએફને તલાશી આપવા, શંકાસ્પદ ધરપકડ કરવા અને જપ્તી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પહેલા બીએસએફ 15 કિલોમીટર સુધી જ કાર્યવાહી કરી શકતું હતું.