પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિન્દરે નવી પાર્ટીની રચના કરવાની તથા કોંગ્રેસમાંથી અલગ પડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
કેપ્ટન અમરિન્દરનો મોટો નિર્ણય
નવી પાર્ટીની રચના કરવાની કરી જાહેરાત
કોંગ્રેસમાંથી પણ આપશે રાજીનામું
ભાજપ સાથે ગઠબંધનના રસ્તા પણ ખુલ્લા રાખ્યા
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહ હવે કોંગ્રેસ થી અલગ થવા જઈ રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે નવી રાજકીય પાર્ટીની રચનાની જાહેરાત કરી છે.
‘The battle for Punjab’s future is on. Will soon announce the launch of my own political party to serve the interests of Punjab & its people, including our farmers who’ve been fighting for their survival for over a year’: @capt_amarinder 1/3 pic.twitter.com/7ExAX9KkNG
ટૂંક સમયમાં નવી પાર્ટીની રચના કરશે-અમરિન્દરના મીડિયા સલાહકારે ટ્વિટ કર્યું
કેપ્ટન અમરિન્દરના મીડિયા સલાહકાર રવિન ઠુકરાલે નવી પાર્ટીની જાહેરાત અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કેપ્ટન અમરિંદરને ટાંકીને કહ્યું હતું કે, 'પંજાબની લડાઈ ચાલી રહી છે. હું ટૂંક સમયમાં મારા રાજકીય પક્ષની જાહેરાત કરીશ જે પંજાબ, તેના લોકો અને ખેડૂતોના હિત માટે કામ કરશે જેઓ એક વર્ષથી વધુ સમયથી તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભાજપ સાથેના ગઠબંધનના રસ્તા ખુલ્લા
નવી પાર્ટીની રચનાની જાહેરાત કરતા જ કેપ્ટન અમરિન્દર સિંહે એક બીજી પણ મોટી જાહેરાત કરી છે. કેપ્ટને જણાવ્યું કે જો કિસાન આંદોલન ખેડૂતોના હિતમાં ઉકેલાય તો 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન થવાની સંભાવના છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અલગ અકાલી જૂથો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા જૂથો જેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષો પણ જોડાણ તરફ ધ્યાન આપી રહ્યા છે.
પંજાબનું ભવિષ્ય સુરક્ષિત નહીં ત્યાં સુધી આરામ નહીં
તેમણે ઉમેર્યું હતું કે, 'જ્યાં સુધી હું મારા લોકો અને મારા રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરું. પંજાબને તેને રાજકીય સ્થિરતા તેમજ આંતરિક અને બાહ્ય જોખમોથી બચાવવાની જરૂર છે. હું મારા લોકોને વચન આપું છું કે તેની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારે જે કરવાનું છે તે હું કરીશ. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા મહિને ૧૮ સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે પછી જ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ કોંગ્રેસમાં નહીં હોય. તેમણે કહ્યું કે તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે યોગ્ય નથી.