રાષ્ટ્રપતિએ મળવા માટે સમય આપવાની ના પાડ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ બુધવારે દિલ્હીના જંતરમંતર પર ધરણા પર બેસી ગયા છે. કેપ્ટન અમરિંદર સિંઘની સાથે અહીં નવજોત સિંહ સિધ્ધુ તેમજ તમામ મંત્રી અને કોંગ્રેસી ધારાસભ્યો ધરણા કરી રહ્યા છે.
પંજાબના વિપક્ષી પાર્ટીએ આને‘ડ્રામા અને ફોટો પડાવવાની તક ગણાવી હતી.’
રાષ્ટ્રપતિએ મળવા માટે સમય આપવાની ના પાડ્યા બાદ ધરણા
સીએમ સહિત તમામ મંત્રી અને કોંગ્રેસી ધારાસભ્યો ધરણા કરી રહ્યા છે
Leaving for Delhi to pay my respects to Mahatma Gandhi Ji at Raj Ghat. We will highlight the issues of our farmers and seek immediate restoration of goods trains to Punjab by the Centre. pic.twitter.com/UZlowQscLd
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર આ ધરણાના માધ્યમથી સરકાર દ્વારા માલગાડીઓને રોકવાના કારણે વીજળી સંકટ અને જરુરી વસ્તુઓની સ્થિતિ ગંભીર થવા તરફ ધ્યાન અપાવવાનો પ્રયાસ કર્યો છે.
જંતર મંતરથી પહેલા કેપ્ટન અમરિંદર સિંઘ સહિત અન્ય નેતાઓ રાજઘાટ ગયા હતા અને બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલી અર્પિત કરી રહી. આ બાદ આ લોકો જંતર મંતર પર પહોંચી ધરણા કર્યા હતા. મુખ્યમંત્રી અમરિંદરે કહ્યું કે કસ્બામાં માલગાડીઓની અવરજવર રોકવાના કારણે સંકટ વધારે વધતું જઈ રહ્યું છે. હાલમાં પાવર પ્લાન્ટ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. આ સાથે કૃષિ અને શાકભાજીના સપ્લાયને ભારે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણ ધરણા કરવાનો નિર્ણય એટલા માટે લીધો કેમ કે કેન્દ્ર સરકારનું ધ્યાન રાજ્યની નાજુક સ્થિતિ તરફ દોરી શકાય.
બીજી તરફ પંજાબના વિપક્ષી પાર્ટી શિરોમણિ અકાળી દળ, ભાજપ અને આપના મુખ્યમંત્રી અમરિંદર સિંઘના દિલ્હીમાં એક ક્રમિક ‘ધરણા’નું નેતૃત્વ કરવાના નિર્ણયને મંગળવારે ‘ડ્રામા અને ફોટો પડાવવાની તક ગણાવી હતી.’