પંજાબનાં રાજકારણમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ થયેલી છે ત્યારે હવે કેપ્ટન અમરિન્દર સિંઘે મોટી જાહેરાત કર્યા બાદ અમિત શાહ સાથે મીટિંગની પણ માહિતી આપી છે.
દેશમાં મોટા નવા જૂનીના એંધાણ
કેપ્ટન અમરિન્દર સિંઘ 20-25 નેતાઓ સાથે કરશે અમિત શાહ સાથે બેઠક
આજે જ નવી પાર્ટી બનાવવાનું પણ કર્યું હતું એલાન
અમિત શાહ સાથે કેપ્ટનની મુલાકાત
કેપ્ટન અમરિન્દર સિંઘ આવતીકાલે ફરી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે. આટલું જ નહીં તેમની સાથે 20 થી 25 નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થવાના છે અને કેન્દ્ર સરકાર અને ખેડૂતો સાથે ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે ચર્ચા કરી શકે છે. પંજાબ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં બાદ આજે કેપ્ટન અમરિન્દર સિંઘે આખરે પોતાના પત્તાં ખોલ્યા અને નવી પાર્ટી બનાવવાનું એલાન કરી દીધું. આટલું જ નહીં અમરિન્દર સિંઘે કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનું પણ આહવાહન કરતાં કહ્યું કે સિદ્ધુ જ્યાંથી પણ ચૂંટણી લડશે ત્યાંથી હું લડીશ અને તેને હરાવી દઇશ. આજે અમરિન્દર સિંઘે વિરોધીઓ પર જોરદાર હુમલા કર્યા અને પોતાના સાડા ચાર વર્ષનાં કાર્યકાળનો સંપૂર્ણ હિસાબ આપ્યો. તેમણે કહ્યું કે મેં જનતાને જે વાયદા કર્યા હતા તે પૂરા કર્યા.
પંજાબ ખૂબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે
અમરિન્દર સિંઘે કહ્યું કે પંજાબ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. હું સાડા નવ વર્ષ સુધી રાજ્યનો ગૃહમંત્રી રહ્યો છું એટલે મને ખબર છે, કોઈ એકાદ મહિનાનો ગૃહમંત્રી આવીને કહી રહ્યો છે કે તે મારાથી વધારે જાણે છે. મારી બેઝિક ટ્રેનિંગ આર્મીની છે અને તેથી મને મૂળ સમસ્યા ખબર છે.
હું નવી પાર્ટી બનાવીશ: કેપ્ટન
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાં એક બાદ એક રાજકીય ભૂકંપ આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. અમરિન્દર સિંઘે હાલમાંઆ જ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ અમરિન્દર સિંઘને હટાવીને ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં અમરિન્દર સિંઘ હવે કોંગ્રેસને જોરદાર નુકસાન પહોંચાડશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું છે. જોકે તેમણે હાલ તો એમ કહ્યું છે કે અત્યારે પાર્ટીનું નામ બતાવી નથી શકતો કારણ કે હજુ તો મને પણ નથી ખબર. અમરિન્દરે કહ્યું કે વકીલ ચૂંટણી આયોગ સાથે વાતચીત કરી રહ્યા છે. ચૂંટણી આયોગ તરફથી પાર્ટીનું નામ અને સિમ્બોલ કન્ફર્મ થઈ જશે પછી જાહેર કરી દેવામાં આવશે.
મે હંમેશા એક સૈનિકની તરીકે કામ કર્યુ છે: કેપ્ટન
કેપ્ટન અમરિન્દર સિંઘે કોંગ્રેસ હાઇકમાન્ડને પણ જડબાતોડ જવાબ આપ્યો, તેમણે કહ્યું કે 18 પોઈન્ટ પ્રોગ્રામમાં તેમણે સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેસીને બતાવી દીધું હતું કે શું કામ કર્યું છે.