બ્રેકિંગ ન્યુઝ
VTV / Can't surrender Bengal to two goons of Delhi: Mamata
Last Updated: 05:35 PM, 22 April 2021
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણીની વચ્ચે પશ્ચિમ બંગાળમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં ફેલાતા ચેપ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને એક પત્ર લખ્યો તો. તેઓએ પીએમ પાસે કોરોના રસી, ઓક્સિજન અને દવાઓની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ મદદ વહેલી તકે મોકલવી જોઈએ.
ખેલાડી તો નથી પણ ખેલતા આવડે છે-મમતા
ADVERTISEMENT
મમતાએ કહ્યું કે હું લોકસભામાં શાનદાર ખેલાડી રહી ચૂકી છે. અમે બંગાળને દિલ્હીના ગુંડાઓની સામે સરેન્ડર ન કરી શકીએ.પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા કેસો માટે ભાજપને દોષી ઠેરવનારા મમતા બેનર્જીએ પણ પીએમને લખેલા પત્રમાં બહારના લોકોનું વર્ણન કર્યું છે. તેમણે લખ્યું છે કે, "રાજ્યમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે, ચૂંટણી પ્રચાર અને અન્ય કારણોસર કેટલાક રાજકીય પક્ષોમાં મોટી સંખ્યામાં બહારના લોકો આવી રહ્યા છે. આ સ્થિતિમાં અમે રોગચાળાને રોકવા માટે યુદ્ધના ધોરણે કામ કર્યું છે અને ત્રણ મુદ્દાઓ પર તમારી હસ્તક્ષેપની જરૂર છે.
રસીકરણ સૌથી મહત્વપૂર્ણ છે
મમતા બેનર્જીએ લખ્યું, "રસીકરણ સૌથી મહત્વપૂર્ણ છે." ખાસ કરીને આપણા રાજ્યમાં, ખાસ કરીને કોલકાતામાં, જ્યાં વસ્તીની ઘનતા ખૂબ વધારે છે. ઝડપી રસીકરણ હોવું ખૂબ જરૂરી છે. દુર્ભાગ્યે આપણા માટે ભારત સરકાર તરફથી રસીનો પુરવઠો મળવો દુર્લભ અને અનિશ્ચિત છે, જે રસીકરણ અભિયાન પર નકારાત્મક અસર કરે છે. અમારે 2.7 કરોડ લોકોનું રસીકરણ કરવું પડશે અને આપણને 54 મિલિયન ડોઝની જરૂર છે. અમે તમારી પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરીએ છીએ જેથી રાજ્યને જરૂરિયાત મુજબ રસી મળી રહે.
પીએમ મોદીને કરી મદદની અપીલ
મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે રેમેડિસિવિર અને ટોસીલીઝૂમેબ જેવી આવશ્યક દવાઓનો પુરવઠો ઓછો છે એમ કહીને કે ડોકટરો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. મમતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ 6000 વાયલ રેમડેસિવીર અને 1000 વાયલ ટોસિલિઝુમેબની જરૂર હોય છે, જ્યારે રાજ્યમાં દરરોજ માત્ર 1000 રેમેડેસીવીર ઇન્જેક્શન મળે છે, જ્યારે ટોસિલિઝુમેબ પૂરું પાડવામાં આવતું નથી. તેથી, આ દવાઓનો સતત પુરવઠો જલદીથી શરૂ થવો જોઈએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પીએમ મોદીને ઓક્સિજન સપ્લાય વધારવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.