મળતી માહિતી મુજબ એમેઝોન આવતા મહીનાથી ભારતમાં તેના ફૂડ ડિલિવરી બિઝનેસને બંધ કરવા જઈ રહી છે.
એમેઝોન ભારતમાં બંધ કરવા જઈ રહ્યું છે આ સર્વિસ
રેસ્ટોરન્ટ પાર્ટનસને જાણ કરી
ઇ-લર્નિંગ પ્લેટફોર્મ પણ થશે બંધ
કંપનીએ 10,000 કર્મચારીઓની કરી છટણી
અમેરિકાની કંપનીઓ પર મંદીની અસર સાફ સાફ દેખાઈ રહી છે. લગાતાર થતી છટણીની ખબરો વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંદીને કારણે એમેઝોન ઇન્ક (Amazon inc) એ એક મોટો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ કંપની આવતા મહીનાથી ભારતમાં તેના ફૂડ ડિલિવરી બિઝનેસને બંધ કરવા જઈ રહી છે.
રેસ્ટોરન્ટ પાર્ટનસને જાણ કરી
એમેઝોન એ તેના રેસ્ટોરન્ટ પાર્ટનર્સને સૂચિત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે 29 ડિસેમ્બરથી તે તેમના ફૂડ ડિલવરી બિઝનેસને બંધ કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ ફૂડ ડિલવરી સર્વિસની શરૂઆત મે 2020માં બેંગલોરમાં કરવામાં આવી હતી. જો કે કંપનીએ પહેલા જ આ સર્વિસ બંધ કરી દીધી હતી અને હાલ વૈશ્વિક સ્તરે કંપની છટણીની યોજના પર કામ કરી રહી છે. હાલ કંપનીએ તેના રેસ્ટોરન્ટ પાર્ટનસને જાણ કરી હતી કે તે બિઝનેસ ડીલ પૂરી કરવાની સાથે દરેક કોન્ટ્રાક્ટને પણ પૂરો કરશે. તેના આ ફૂડ ડિલવરી સિસ્ટમને બંધ કરવાણઆ નિર્ણયને એમેઝોન સ્ટેપ બાય સ્ટેપ લાગુ કરવા જઈ રહી છે.
ઇ-લર્નિંગ પ્લેટફોર્મ પણ થશે બંધ
બીજી બાજુ ખબર મળી રહી છે કે એમેઝોન તેના ઇ-લર્નિંગ પ્લેટફોર્મને પણ ભારતમાં બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ સર્વિસને કંપની આવતા વર્ષે ઓગસ્ટમાં બંધ કરશે. જણાવી દઈએ કે કોરોના મહામારી પછી કંપનીએ આ પ્લેટફોર્મ ભારતમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. ઇ-લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એન્ટ્રસ એક્ઝામની તૈયારી કરી શકતા હતા. જો કે તેમાં બાયજુસ, અનએકેડમી સહિતની કંપનીઓ તેની કંપિટિટર છે. જણાવી દઈએ કે આ દિવસોમાં ઇ-લર્નિંગ પ્લેટફોર્મની હાલત દયનીય છે કારણ કે કોવિડ પછી લગભગ તમામ શાળાઓ, સંસ્થાઓ, કોલેજો ઑફલાઇન શરૂ થઈ ગઈ છે.
કંપનીએ 10,000 કર્મચારીઓની કરી છટણી
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે Amazonએ 10,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, એમેઝોન કોર્પોરેટ અને ટેક્નોલોજી ભૂમિકાઓમાં લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે એ અહેવાલ મુજબ કંપનીના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી હતી.જો કે એમેઝોન અનુસાર આ છટણીમાં ભારતમાં કર્મચારીઓ નથી.એમેઝોન ઉપરાંત, યુએસ ટેક જાયન્ટ્સ મેટા અને ટ્વિટરએ પણ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે.