કોરોનાની વેક્સિન લીધા બાદ શું કરવુ અને શું ન કરવુ તેના પર ઘણુ કન્ફ્યુઝન છે. કેટલાક લોકો એવુ પણ વિચારતા હોય છે કે વેક્સિન લીધા બાદ શારીરિક સંબંધ બનાવવા જોઇએ કે નહી?
કોરોનાની વેક્સિન લીધા બાદ રાખો સાવચેતી
વેક્સિન લીધા બાદ શારીરિક સંબંધ ન બાંધી શકાય?
સોશ્યલ મિડીયા પર આ વાતને લઇને ઉઠ્યા સવાલ
સોશ્યલ મિડીયા પર ઉઠ્યા સવાલ
ભારતમાં જોરશોરથી વેક્સિન આપવાનુ કામ શરુ થઇ ગયુ છે ત્યારે સોશ્યલ મિડીયા પર આવા સવાલ ઉઠી રહ્યાં છે કે શું ખરેખર વેક્સિન લીધા બાદ સમાગમ ન કરી શકાય?
સ્વાસ્થ્ય મંત્રાલયે આ વિશે કોઇ જ દિશાનિર્દેશ નથી આપ્યા પરંતુ ડૉક્ટર્સની સલાહ છે કે મહિલાઓએ બીજો ડોઝ લીધા બાદ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઇએ.
ગાઝીયાબાદના એક ડૉક્ટરે જણાવ્યું કે SARS-coV2 એક નોવેલ વાયરસ છે અને તેને બેઅસર કરવા માટે વેક્સિન બનાવવામાં આવી છે. હાલ તે કહેવુ મુશ્કેલ હશે કે લાંબા સમયે તેની કોઇ આડઅસર છે કે નહી.
બીજો ડોઝ લીધા બાદ રાખો સાવચેતી
તેમણે કહ્યું કે બીજો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડીયા સુધી પુરુષો અને મહિલાઓ બંને ખુબ ધ્યાન રાખે અને કોન્ડમનો ઉપયોગ ખાસ કરે. કારણકે સંબંધ બાંધતી વખતે શરીરના તરલ પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે છે.
વધુ માહીતી આપતા તેમણે કહ્યું કે વેક્સિન આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની બહુ જાણકારી નથી મળી પરંતુ આ સમયે કોન્ડમનો ઉપયોગ કરવો સૌથી સારી વાત હશે. તેમને પણ તે સલાહ આપવામાં આવે છે કે વેક્સિન લગાવ્યા પહેલા ગાયનેકોલોજીસ્ટની સલાહ અવશ્ય લે.