પ્રધાનમંત્રી મોદીના રેડિયો પ્રોગ્રામ મનકી બાત પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નિરર્થક ચર્ચા કરીને કોરોના મહામારી સાથે ન લડી શકાય.
પ્રધાનમંત્રી મોદીના રેડિયો પ્રોગ્રામ મનકી બાત પર પર રાહુલનો પ્રહાર
સાચી નીતિ, તથા દ્રઢ નિર્ધારથી કોરોના સામે લડી શકાય
મોદી સરકાર દેશ માટે હાનિકારક-રણદીપ સુરજેવાલા
દેશ મહિનામાં એક વાર નિરર્થક ચર્ચા કરીને કોરોના મહામારી સાથે ન લડી શકે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોરોના સામે લડવા માટે આપણે સાચી નીતિ, તથા દ્રઢ નિર્ધાર હોવો જોઈએ.
कोरोना से लड़ने के लिए चाहिए-
सही नीयत, नीति, निश्चय।
કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે મોદી સરકાર દેશ માટે હાનિકારક છે અને આ સાત વર્ષ સાત ગુનાહિત ભુલના છે. સુરજેવાલાએ જણાવ્યું કે 2014 માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારે તેને વારસામાં કોંગ્ર્સે કાર્યકાળનો સરેરાશ 8.1 ટકા જીડીપી વૃદ્ધ દર મળ્યો હતો. કોરોના મહામારી પહેલા મોદી સરકારના નાણાકીય કુપ્રબંધનને કારણે જીડીપી દર વર્ષ 2019-2020 માં ઘટીને 4.2 ટકા થયો. 73 વર્ષમાં પહેલી વાર દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે પ્રતિ વ્યક્તિ આવકના મામલે બાંગ્લાદેશ પણ ભારતથી આગળ છે. ગુનાહિત નાણાકીય કુપ્રબંધન અને ગરબડને કારણે મોદી સરકારે દેશને દેવાના અંધારા કૂવામાં ધકેલી દીધો છે.
20 લાખ કરોડનું આર્થિક પેકેજ જુમલો
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે અનિયોજિત લોકડાઉન બાદ ઈકોનોમીને બૂસ્ટર ડોઝ આપવા 20 લાખ કરોડના તથાકથિત પેકેજ જુમલાની જાહેરાત કરવામાં આવી. રાહુલે ગાંધીએ કહ્યું હતું કે તમે સપ્લાય સાઈડને બુસ્ટ કરો પણ મોદી સરકારે તેમની વાત ન સાંભળી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકાર દર વર્ષે બે કરોડ રોજગારી આપવાનો વાયદો કરીને સત્તામાં આવી હતી. 7 વર્ષમાં 14 કરોડ રોજગારી આપવાની વાત તો બાજુએ રહી પરંતુ દેશમાં છેલ્લા 45 વર્ષમા સૌથી વધારે બેરોજગારી ઊભી થઈ. દેશમાં બેરોજગારી દર ડબલ ડિઝિટનો આંકડો પાર કરીને 11.3 ટકા પર પહોંચી ગયો છે.
કમર તોડ મોંઘવારીનો માર, ચારે તરફ હાહાકાર
કોંગ્રેસ નેતા સુરજેવાલાએ જણાવ્યું કે કોરોના મહામારી અને બીજી તરફ મોદી નિર્મિત મોંઘવારી બન્ને દેશવાસીઓ માટે દુશ્મન બની. ખાદ્ય પદાર્થોથી માંડીને તેલના ભાવ આસમાન આંબી રહ્યાં છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ 100 રુપિયા તથા સરસિયું તેલ 200 રુપિયા લીટરે પહોંચ્યું છે.
ગેસથી માંડીને દાળ સુધી મોંઘવારીનો માર
કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે રસોઈ ગેસની કિંમતો વધીને 809 રુપિયા થઈ છે. તેલની કિંમતોમાં પણ આગ લાગી છે જેને કારણે દરેક ઘરનું બજેટ બગડી ગયું છે. મે 2020 થી મે 2021 ની વચ્ચે એક વર્ષમાં ખાદ્ય તેલમાં 60 થી 70 ટકાનો વધારો થયો છે. સુરજેવાલાએ જણાવ્યું કે આઝાદ ભારતના ઈતિહાસની આ પહેલ સરકાર છે ફક્ત ખેડૂતો પાસેથી તેમની રોજી છીનવીને કેટલાક અમીરોનું ઘર ભરવા જ માંગતી નથી પરંતુ અન્નદાતાની પ્રતિષ્ઠા પણ ખરડી રહી છે. ક્યારેય તેમની પર લાઠીઓ વરસાવે છે. ક્યારેક તેમને આતંકી ગણાવે છે.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા
કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે મોદી સરકાર દેશની અખંડિતતા તથા સીમાઆોની રક્ષા કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે. ચીનને લાલ આંખ દેખાડવાનું તો દુર, ભાજપ સરકાર ચીનને આપણી સીમામાંથી બહાર ખદેડી શકી નથી. ભાજપ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કર્યાં છે.