વર્ષોથી મહેનત કરતા ચોક્કસ તારીખે પરીક્ષા ન લેવાતા યુવાનોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું, બિન સચિવાલયની તૈયારી કરતાં ઉમેદવારોમાં માનસિક હતાશા
બિનસચિવાલયની પરીક્ષા રદ્દ
પરીક્ષા રદ્દ થતાં યુવાનો હતાશ
60 થી 80 ટકા લોકો બન્યા માનસિક રોગનો શિકાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરલીકનો સિલસિલો યથાવત છે.ગૌણસેવા પસંદગીની પરીક્ષા હોય કે પોલીસની પરીક્ષા હોય તમામ જગ્યાએ પેપરલીક થવાના લીધે વર્ષોથી તૈયારી કરતા યુવાનોમાં હતાશાનું પ્રમાણ સખત વધી રહ્યું છે.અને અનેક યુવાનો હતાશાના લઈને ડ્રગ્સ, દારુ, અફિણ, ગાંજો અને અન્ય વ્યસનની તરફ પ્રેરાઈ રહ્યા હોવાનો ઘસફોસ્ટ મનોચિકિત્સક દ્વારા કરવામાં આવ્યો છે.પપેરલીક કાંડમાં સરકાર માત્ર પરીક્ષા રદ્દ કરી નવી તો ગોઠવી દે છે પરંતુ પેપરલીક બાવ જે યુવાનો વર્ષોથી તૈયારી કરી રહ્યા હોય છે તેમના મનસપટ પર શું અસર થાય છે તે પણ સરકારે અભ્યાસ કરવો જોઈએ.
પોતાના કરિયરને લઈને અન્ય રવાડે ચડતા હોવાના પણ બનાવો
રાત દિવસ સરકારી નોકરી લેવા માટે ઉમેદવારો મહેનત કરતા હોય અને પરીક્ષાની તારીખ નજીક આવે ત્યારે જ પરીક્ષા રદ્દ થાય , પેપર લીક થાય, પરીક્ષાના પેપર લાખો રુપિયામાં વેચાઈ જાય અને ચોક્કસ ઉમેદવારો લાગી જાય ત્યારે જે યુવાનો તૈયારી કરી રહ્યા હોય છે તેમના પર ખુબ જ ખરાબ અસર વર્તાતી હોય છે અનેક યુવાનો તો જયારે તેમને પોતાનું કરિયાર ધુંધળુ લાગવા લાતે ત્યારે ડ્રગ્સના રવાડે ચડી જતા હોય છે અને પોતાની અખી જીંદગી ખરાબ કરી નાંખે છે.અત્યારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદની મનોચિકિત્સક હોસ્પિટલમાં અનેક યુવાનો એડમિટ થયાના બનાવો સામે આવી રહ્યા છે અને મોટા ભાગના યુવાનો પોતાના કરિયરને લઈને અન્ય રવાડે ચડતા હોવાનો બનાવો પણ સામે આવ્યા છે
ઉમેદવારોને સૌથી મુંઝવતો પ્રશ્ન સમાજ શું કહેશે?
માત્ર સરકારી પરિક્ષાની તૈયારી કરતા યુવાનો જ નહીં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પર પણ પેપરલીકની મોટી અસર થતી હોવાનો મનોચિકિત્સકનો દાવો છે જ્યારે બાળકો અખબારમાં કે ટીવીમાં સરકારની નાકામીયાબી અને પેપરલીક જેવા મુદ્દાઓ જુએ છે ત્યારે બાળકને લાગે છે કે મોટો થયા પછી મને નોકરી મળશે કે કેમ.હું મહેનત કરીને શું કરીશ.નોકરી નહીં મળે તો મને મારા પરિવારજનો શું કહેશે.સમાજ શું કહેશે.જો હું મોટો થઈને પરીક્ષાની તૈયારી કરીશ અને પેપરલીક થશે તો મારી મહેનત નું શું આ અનેક કારણોને લઈને બાળકો હતાશામાં મુકાઈ જતા હોય છે અને ધીમે ધીમે ભણવામાંથી ધ્યાન ભટકાવી અન્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રીત કરી પોતાનું કરિયર ખરાબ કરતા કિસ્સાઓ પણ અત્યારે દેશમાં વધી રહ્યા છે.
જવાબદારી શિરે આવતા યુવાનો હતાશ
કોઈ પણ વિદ્યાર્થી જ્યારે નોકરીની તૈયારી કરવા ગામમાંથી શહેરમાં શિફ્ટ થાય છે ત્યારે તેઓ ચોક્કસ ટાર્ગેટ સાથે શિફ્ટ થતા હોય છે અને તેઓને હોય છે કે એક - બે વર્ષની મહેનત બાદ તેને નોકરી મળશે પરંતુ નોકરી નથી મળતી, પરીક્ષાઓની તારીખો પાછી ઠેલાયા રાખે છે ત્યારે વિદ્યાર્થીના સામાજીક પ્રશ્નો ઉભા થતા હોય છે, સગાઈ, લગ્ન, સામજીક જવાબદારી, ભણતર પાછળ વ્યાજે લાગેવા નાણાં અને આ તમામના લિધે પણ અનેક યુવાનો હતાશાનો ભોગ બનવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.