ગાંધીનગરઃ આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે..ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર તથા એક અપક્ષના નેતાના ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે લોકસભાની NOC ન હોવાથી કોંગ્રેસ ઉમેદવાર નારણ રાઠવાની ઉમેદવારી રદ્દ થઈ શકે છે..જોકે નારણ રાઠવાએ તેના ફોર્મમાં કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારે બન્ને પક્ષોએ પોતાના હિસ્સાના 2 ઉમેદવારો સિવાય ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખીને હરિફ પક્ષ પર દબાણ ઉભું કરવાનો પ્રયત્ન કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી માટે મનસુખ માંડવીયા અને પરશોત્તમ રૂપાલાએ પક્ષના અગ્રણીઓ અને ટેકેદારો સાથે ગાંધીનગરમાં ફોર્મ ભર્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં માંડવીયા અને રૂપાલાએ ઉમેદવારી નોંધાવી છે. તો ભાજપે રાજયસભાના ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહને જાહેર કર્યા હતા. કિરીટસિંહ લિંબડીના પૂર્વ ધારાસભ્ય છે.
આ તરફ રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મના સસ્પેન્સ વચ્ચે નારણ રાઠવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારા ફોર્મને લઈને કોઈ સમસ્યા નથી. અને ડોક્યુમેન્ટનો કોઈ પણ પ્રશ્ન નથી. ત્યારે આજે ભરાયેલ ફોર્મની ચકાસણી બાદ નક્કી થશે નારણ રાઠવાની ઉમેદવારી થશે કે નહીં...