રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો રાજ્ય સરકારે પણ કોરોનાના ફેલાતા સંક્રમણને નાથવા માટે આકરા પ્રયાસ કરી રહી છે ત્યારે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોના ટેસ્ટને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
કોરોના ટેસ્ટ માટે હવે કોઇ પૂર્વ મંજૂરીની જરૂર નહીં
આરોગ્ય વિભાગે કેસ-ટેસ્ટિંગ માટે 5 કેટેગરી બનાવી
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના લેબ ટેસ્ટિંગ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થા ICMR દ્વારા તાજેતરમાં વિવિધ ફેરફારો સાથે વારંવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવી રહી છે. જેને પગલે ખાનગી લેબમાં ટેસ્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આલેખવામાં આવી રહી છે. પરંતુ આજે તેમાં વધુ એક સુધારો કરવામાં આવ્યો હતો.
કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં
ICMR દ્વારા કોરોનાના ટેસ્ટિંગને લઇને જાહેર કરવામાં આવેલ નવી ગાઇડલાઇનને અનુલક્ષીને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો કે, કોરોના ટેસ્ટ માટે હવે કોઇ પૂર્વ મંજૂરીની જરૂર રહેશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 15, 2020
જાણો કોઇ લઇ શકશે લાભ
આપને જણાવી દઇએ કે, ડોક્ટરથી લઈ ફ્રન્ટલાઈન વર્કર્સ, કેન્સરના દર્દીઓ અને સગર્ભા મહિલાને હવેથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ખાનગી કે સરકારી લેબમાં ટેસ્ટ કરાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.