વ્યવસાય એ માત્ર વ્યવસાય હોય છે. પરંતુ જ્યારે વ્યસાયમાં સમાજ માટે કોઈ શુભ આશયને સ્થાન આપવામાં આવે છે ત્યારે એ વ્યવસાય એક સામાજિક સેવા બની જાય છે. આવી જ એક સમાજ સેવાના નિમિત્ત બન્યા છે રાજકોટના એક પાનહાઉસના માલિક કે જેણે તમાકુસેવન મુકત યુવાધન ઉભું કરવા એક નવતર પહેલ કરી છે. થોડા નફાની લાલચમાં તણાયા વગર તેમણે પોતાને ત્યાં આવતા ગ્રાહકને તમાકુના સેવનથી દૂર રહેવાની સલાહ આપવાનું અભિયાન આદર્યું છે.