દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં કેન્સરના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું કહેવું છે કે 2025 સુધી કેન્સરના કેસોમાં 12.7 ટકાનો વધારો થઈ શકે છે.
ભારતમાં વધી શકે છે કેન્સરનો ખતરો
ICMRએ આપી ચેતાવણી
2025 સુધી 12.7 ટકા વધશે કેસો
દેશમાં આવનાર ત્રણ વર્ષોમાં કેન્સરના કેસો ઝડપથી વધવાના છે. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કર્યો છે. ICMRએ 2025 સુધી કેન્સરના કેસોમાં 12.7 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા થોજા વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્સરના વધતા આંકડાને જોતા નિષ્ણાંતોએ આ દાવો કર્યો છે.
ભારતમાં ભયાનક થઈ શકે છે સ્થિતિ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 2020માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના કેસો 2020માં 13.92 લાખ હતા જે 2021માં વધીને 14.26 લાખ થઈ ગયા છે અને 2022માં વધીને 14.61 લાખ પર પહોંચી ગયા હતા.
બીમારી ફેલાવવાના આ છે મુખ્ય કારણ
નિષ્ણાંતો અનુસાર દેશમાં હૃદય રોગ અને શ્વાસની બિમારીઓ જ નહીં પરંતુ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. કેન્સરના વધતા પ્રસાર માટે ઘણા પ્રકારના ફેક્ટર્સ જવાબદાર છે જેમાં વધતી ઉંમર, જીવનશૈલીમાં ફેરફાર, વ્યાયામ અને પૌષ્ટિક આહારની કમીનો સમાવેશ થાય છે.
ઘણી વખત લોકોને કેન્સરના લક્ષણોની સંપૂર્ણ જાણકારી નથી હોતી જે સમય પર તેમને બિમારીની જાણકારી મળે છે ત્યારે મોડુ થઈ જાય છે અથવા તો સારવારમાં મોડુ થઈ જાય છે. જલ્દી સારવાર ન મળવાના કારણે કેન્સર વધી જાય છે. તેના માટે લોકોની વચ્ચે કેન્સર વિશે જાગૃકતા ફેલાવવી પણ ખૂબ જ જરૂરી છે.
ભારતમાં પુરૂષોમાં આ કેન્સર સૌથી સામાન્ય
થોડા વર્ષો પહેલાના આંકડાઓ અનુસાર, ભારતમાં પુરૂષોમાં સૌથી વધારે મોઢા અને ફેફસાના કેન્સરના કેસ સામે આવ્યા. ત્યાં જ મહિલાઓમાં સૌથી વધારે બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સર સામે આવી રહ્યા છે.
બેંગ્લોર સ્થિત આઈસીએમઆર નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઈન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ અનુસાર, 2015થી 2022 સુધી દરેક પ્રકારના કેન્સરના આકડામાં લગભગ 24.7 ટકાનો વધારો થયો છે. 14 વર્ષની ઉંમરના બાળકોમાં લિમ્ફોઈડ લ્યુકેમિયા એટલે કે બ્લડ સાથે જોડાયેલા કેન્સનો ખતરો વધારો હોય છે. કેન્સરથી બચવા માટે તેના વિશે જાગૃકતા ફેલાવવી જરૂરી છે.
આ ભયાનક બીમારીથી કઈ રીતે બચશો?
કંસલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને હેમેટોઓન્કોલોજિસ્ટ ડૉ. સુહાસ આગ્રે અનુસાર, "વૃદ્ધાવસ્થા, ફેમિલી હિસ્ટ્રી, જેનેટિક્સ, જાડાપણુ, તંબાકુના સેવન, દારૂ, વાયરલ સંક્રમણ જેવા હ્યુમન પેપિલોમાવાયરસ, વાતાવરણમાં કેમિકલ્સ, પ્રદૂષણ, સૂરજની હાનિકારક યુવી કિરણોના સંપર્ક, ખરાબ આહાર, શારિરીક ગતિવિધિની કમી અને અમુક હોર્મોન અને બેક્ટેરિયા આ ભયાનક બીમારીને ફેલાવવાના કારણમાં શામેલ છે. આ બીમારીથી બચવા માટે જરૂરી છે કે કેન્સરના લક્ષણ જોતા જ તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ."
જૈન મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડૉ. તનવીર અબ્દુલ મઝીદ કહે છે, "ભારતમાં કેન્સરના કેસ વધી રહ્યા છે. કેન્સર મોટી આબાદી અથવા યુવાનોને પ્રભાવિત કરી રહ્યું છે સાથે જ ઓછી ઉંમરના યુવાનોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. કેન્સરની સમય પર સારવાર ન મળવા પર વ્યક્તિનું મોત થઈ શકે છે. ભારતમાં પુરૂષોમાં સૌથી સામાન્ય કેન્સર મોંઢાનું કેન્સર, ફેફસા, માથા અને પ્રોસ્ટેટિક કેન્સર છે. જ્યારે મહિલાઓમાં સ્તન અને ગર્ભાશય ગ્રીવાના કેન્સર સૌથી સામાન્ય છે."