મકાન વેચનારે મકાન ખરીદનારને નાણાં પરત કરવાનો હુકમ કર્યો
વડોદરાના તાંદલજા વાસણા રોડની સમર્પણ સોસાયટીની 3 મિલકતોના દસ્તાવેજ રદ કરાયા છે. સોસાયટીમાં અશાંત ધારાનો ભંગ થયો હોવાના કારણે નાયબ કલેક્ટરે મહત્વનો આદેશ કર્યો છે. અશાંતધારાનો ભંગ કરીને મિલકતનું વેચાણ કરાયું હોવાનું સામે આવ્યું છે. 2018થી સોસાયટીના રહીશો કલેક્ટરને રજૂઆત કરી રહ્યાં હતા. આથી, ત્રણેય દસ્તાવેજો રદ કરવાનો નાયબ કલેક્ટરે મહત્વનો આદેશ કર્યો છે. મકાન વેચનારે મકાન ખરીદનારને નાણાં પરત કરવાનો નાયબ કલેક્ટરે હુકમ કર્યો છે.
અશાંતધારાનો ભંગ કરીને મિલકતનું વેચાણ કરાયું હતું
અશાંતધારાનો ભંગ કરીને મિલકતનું વેચાણ કરાયું હોવા મુદ્દે સમર્પણ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરી કલેક્ટર સમક્ષ દસ્તાવેજ રદ કરવા માટે અપીલ કરાઇ હતી. જેમાં નાયબ કલેક્ટર દ્વારા ત્રણેય દસ્તાવેજમાં દસ્તાવેજો રદ કરવા હુકમ કરાયો છે. જ્યારે મિલકત વેચાણ આપનારે મિલકત તબદીલી માટે લીધેલી અવેજની રકમ વેચાણ લેનારને હુકમ મળ્યાથી 1 માસમાં દસ્તાવેજની તારીખથી 9 ટકા વ્યાજ સાથે રકમ પરત આપવાનો પણ હુકમ કર્યો છે.
2018થી સોસાયટીના લોકો કલેક્ટરને કરી રહ્યાં હતા રજૂઆત
સમગ્ર ઘટનામાં સમર્પણ સોસાયટીની મિલકતો લઘુમતી કોમના વ્યક્તિને વેચાણ આપવાનો વિરોધ સ્થાનિક રહિશો કરી રહ્યાં છે. સોસાયટીના કેટલાંક રહિશોએ અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘન કરીને લઘુમતી કોમના વ્યક્તિઓને મકાન વેચ્યું હોવાનું સામે આવતા 2018થી આ મામલે વિરોધ શરૂ થયો હતો. રહિશોએ કલેક્ટર સમક્ષ દસ્તાવેજો રદ કરવા અરજ કરી હતી. આથી, અંતે ત્રણેય દસ્તાવેજો રદ કરવાનો નાયબ કલેક્ટરે મહત્વનો આદેશ કર્યો છે.