સુરતનાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ધાબા પર થયેલા ગેરકાયદેસર બાંધકામને હટાવવામાં આવી રહ્યાં છે અને એપલ હોસ્પિટલનાં ધાબા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. આ સાથે જ થોડાંક સમય પહેલાં એપલ હોસ્પિટલમાં આગ પણ લાગી હતી. આ આગ લાગવાની ઘટના બાદ AMC દ્વારા 7 દિવસમાં હોસ્પિટલ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
અમદાવાદનાં વિજય ચાર રસ્તા પર આવેલી એપલ હોસ્પિટલની BU પરમિશન રદ્દ કરવામાં આવી છે. હોસ્પિટલનાં ધાબા પર ગેરકાયદે બાંધકાંમ કરવામાં આવ્યું હતું. જેને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, સુરતનાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ધાબા પર થયેલા ગેરકાયદેસર બાંધકામને હટાવવામાં આવી રહ્યાં છે અને એપલ હોસ્પિટલનાં ધાબા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. આ સાથે જ થોડાંક સમય પહેલાં એપલ હોસ્પિટલમાં આગ પણ લાગી હતી. આ આગ લાગવાની ઘટના બાદ AMC દ્વારા 7 દિવસમાં હોસ્પિટલ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે સુરતનાં સરથાણા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બાદ આખરે મોડે મોડે અમદાવાદ તંત્ર જાગ્યું. ત્યારે હવે રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં ટ્યુશન ક્લાસિસોમાં ફાયર સેફ્ટીને લઇને ઠેર-ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરની જ એપલ હોસ્પિટલમાં ફાયર ઓફિસરોએ ચેકિંગ હાથ ધર્યું. આ ચેકિંગ દરમ્યાન ફાયર સેફ્ટી અને NOC ન હોવાંથી તેની BU પરમિશન રદ્દ કરવામાં આવ્યું છે. જો કે હોસ્પિટલ ખાલી કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરતનાં સરથાણા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની હતી. જેમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગતા અહીં ચાલતા ટ્યુશન ક્લાસિસમાં 35થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતાં. જેને લઈને ત્યાં ભારે દોડધામ મચી ગઇ હતી. ત્યારે આગથી બચવા માટે વિદ્યાર્થીઓએ એપોર્ટમેન્ટનાં ટોપ ફ્લોર પરથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં 21નાં મોત થયાં હતાં. જેથી હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે.