રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આહનાએ લોકોને અપીલ કરી છે. આગામી 30 થી 40 દિવસ તમામ કાર્યક્રમો અને રાજકીય મેળાવડાથી દૂર રહેવું
કોરોના વધતા આહનાની અપીલ
આગામી 30થી 40 દિવસ જોખમી
ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ
ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. -આહના
રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના વધતા કેસોને લઇને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એટલે કે આહનાએ લોકોને અપીલ કરી છે. આગામી 30 થી 40 દિવસ તમામ કાર્યક્રમો અને રાજકીય મેળાવડાથી દૂર રહેવાની અપીલ કરી છે. આહનાના મતે લગ્ન અને અન્ય જાહેર કાર્યક્રમોથી પણ લોકો દૂર રહે તે જરૂરી છે.આહનાએ કહ્યું કે, ગુજરાતમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે.
આ વખતે સચેત નહીં રહીએ તો ગત એપ્રિલ જેવી સ્થિતિ સર્જાશે
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ ડોકટર ભરત ગઢવીએ જણાવ્યું છે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, અગામી રાજકીય મેળાઓ ફેબ્રુઆરી બાદ કરવા જોઈએ શક્ય બને તો સામાજિક પ્રસંગો પણ લોકો સમજીને પોસ્પટપોન્ડ કરી દે જો આ વખતે આપણે સાવચેત નહીં રહીએ અને બેદરકારી રાખીશું તો ગત એપ્રિલ જેવી સ્થિતિ સર્જાશે
કોરોના હજારને પાર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. ગત રોજ કોરોના કેસ એક હજારને પાર પહોંચ્યા છે. ગુજરાતમાં છેલ્લા શનિવાર સુધીમાં કોરોના વાયરસના નવા 1069 નવા કેસ નોંધાયા છે. જ્યારે 103 દર્દીઓ સાજા થયા છે, જોકે એક દર્દીનું મોત થયું. તો હાલ રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે. જેમાંથી વેન્ટીલેટર પર 11 દર્દીઓ છે અને 3916દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.31 ટકા જેટલો છે. જ્યારે શનિવારે 152072 લોકોનું વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818755 દર્દીઓ સાજા થયા અને 10119 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,95,87,417 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે. અમદાવાદમાં 559 કેસ નોંધાયા છે.
આ જિલ્લામાં નથી નોંધાયો કેસ
બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન