કેનેરા બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકો માટે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકે જારી કર્યું એલર્ટ. જાણી લો.
આ બેંકના ગ્રાહકોને થશે મોટી પરેશાની
30 જૂન પહેલાં અપડેટ કરાવી લેજો આ કોડ
કેનેરા બેંકે ગ્રાહકો માટે જારી કર્યું એલર્ટ
જો તમારું પણ કેનેરા બેંકમાં ખાતું છે તો 1 જુલાઈથી તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો. તમને જણાવી દઈએ કે, કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંક મર્જ થઈ છે. જેના બાદ ગ્રાહકો જૂની ચેકબુકનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ તમે ફક્ત 30 જૂન સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આ પછી બધાં ગ્રાહકોના આઈએફએસસી કોડ ડિસેબલ કરવામાં આવશે (એટલે કે, તમે જૂના કોડનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં).
આ અંગેની માહિતી બેંક તરફથી ટ્વીટ કરીને આપવામાં આવી છે. બેંકે ટ્વિટમાં લખ્યું છે કે ગ્રાહકોની જૂની ચેકબુક ફક્ત 30 જૂન સુધી કામ કરશે. આ પછી તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં.
1 જુલાઈથી ડિસેબલ કરવામાં આવશે
ગ્રાહકોને માહિતી આપતા કેનેરા બેંકે જણાવ્યું કે કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકના મર્જર પછી, SYNBથી શરૂ થતાં તમામ ઇ-સિન્ડિકેટ આઈએફએસસી કોડ્સ બદલાયા છે. SYNBથી શરૂ થતાં તમામ IFSC W.E.F 01.07.2021થી ડિસેબલ થઈ જશે.
આ સિવાય બેંકે વેબસાઇટ પર નિવેદન જારી કરીને આ અંગેની માહિતી પણ આપી છે. બેંકે લખ્યું છે કે સેન્ડર્સને NEFT/RTGS/IMPS મોકલતી વખતે, માત્ર CNRBથી શરૂ થતા તેમના નવા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવા માટે જાણ કરો. સાથે જ SYNBથી શરૂ થતા કોડ કામ કરશે નહીં.
આઈએફએસસી કોડ શું છે?
આઈએફએસસી (ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ) એ 11-અંકનો યૂનિક કોડ છે જેનો ઉપયોગ એનઇએફટી, આરટીજીએસ અને આઇએમપીએસ દ્વારા કરવામાં આવેલા ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવા માટે થાય છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં નાણા પ્રધાન નિર્મલા સીતારામણે 10 મોટી સરકારી બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે મર્જર એપ્રિલ 2020માં અમલમાં આવ્યું. આ પછી 1 એપ્રિલ 2021થી બેંકોના આઈએફએસસી અને એમઆઇસીઆર કોડ્સ અપડેટ થવાનું શરૂ થયું છે. કેનેરા બેંક ઉપરાંત બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેંક સામેલ છે. આ બેંકો અન્ય બેંકોમાં મર્જ થઈ ગઈ હતી.