રાજ્યમાં વરસાદ આવતા તંત્રની પોલ ખુલી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાબડા અને ભૂવા પડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાંની સુઈગામના બેણપ માઈનોર કેનાલમાં ગાબડાં પડયા છે.
સેડવ ગામની સીમામાં ત્રણ જગ્યાએ ગાબડા પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ નર્મદાની લીમડી બ્રાન્ચ કેનાલમાં નબળી કામગીરી સામે આવી હતી.
નશીતપુરા ગામમાં બ્રાન્ચ કેનાલ ઉપરની RCC દિવાલના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ સામે આવ્યુ. કેનાલની દિવાલને હાથ લગાડતા જ દિવાલ તૂટી જાય છે.
આ કેનાલ ઉપર RCCનું એક મહિના પહેલા કામ કરવામાં આવ્યુ હતુ. રોડ બનાવતી વખતે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે.