પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને સિંચાઈના પાણી ન મળવાને કારણે પારાવાર તખલીફનો સામનો કરવો પડે છે. જેમાં કરાડ સિંચાઈ વિભાગ દ્વારા બનાવેલી કેનાલોમાં મોટા પાયે ઝાડીઓ ઉગી ગઇ છે અને 15 વર્ષથી પાણી ન હોવાને કારણે પાકને નુકસાન પણ થાય છે.
પંચમહાલ જિલ્લામાં કરાડ સિંચાઈ આધારિત કાલોલ તાલુકાના તરવડા, મલાવ, મેદાપુર અલવામાંથી 200 ઉપરાંત ખેડૂતોને ખેતરમાં પાક માટે તેમજ વપરાશ માટે મેઈન કેનાલ બનાવવામાં આવી છે. આ કેનાલો છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવામાં આવી છે. જેનાથી ખેડૂતને પાણી મળી રહે, પરંતુ આ કેનાલો છેલ્લા કેટલાક 15વર્ષથી જર્જરિત હાલત તેમજ સફાઈ ન કરવાને કારણે તે કેનાલો દેખી શકાતી નથી. જેનું કારણ એ છે કે, તે કેનાલમાં બાવળ, હરેંડા જેવા ઝાડીઓ ઉગી નીકળી છે તે સફાઈ ન કરવાને કારણે પાણી પ્રવાહ આવી શકતો નથી અને ખેડૂત સુધી પહોંચતું નથી. આ કેનાલો છેલ્લા 15 વર્ષ થાય, પરંતુ કેનાલોની સફાઈ કે કરવામાં આવી નથી તેના કારણે પાણીનો અભાવ જોવા મળે છે અને ખેતીના પાકને પાણી વગર નુકસાન થતું જ રહે છે
લાખ્ખો હેક્ટરમાં કરતા મબલક પાક જેવો કે મકાઈ, બાજરી, ડાંગર, ઘઉં, તેમજ અન્ય શાકભાજી પકવવામાં ખેડૂતો મહેનત કરીને વાવેતર કરતા હોય છે, પરંતુ ખેતરમાં સિંચાઈ વિભાગનું પાણી ન મળવાને કારણે કેટલાક પાક નિસ્ફળ થઇ જાય છે. તેમજ કેટલાક પાકનું વાવેતર ઓછું થાય છે, કરાડ સિંચાઈ વિભાગે બનવેલી આ કેનાલોમાં 10 કીમીના અંતર સુધી સતત મોટા બાવળ જેવા ઝાડીઓનો જંગલ વિસ્તાર જોવા મળે છે. સતત સફાઈ નાથવાને કારણે અને સિંચાઈ વિભાગ અધૂરી કામગીરી કરવાને કારણે પાણી આવી શકતું નથી. જેના કારણે મોટા ભાગના ખેડૂતો એ કુવા કે બોરમાંથી પાણી ભાડે લાવીને ખેતરના પાક મજબૂરીથી પકવવા પડે છે.
જેમાં હાલ કરાડ સિંચાઈમાં ચોમાસા દરમ્યાન પાણી ઓછું સંગ્રહ થવાને કારણે હાલ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કરાડ આધારિત કામ કરતા ઉચ્ચ અધિકારીઓ આ કેનાલને સાફ સફાઈ કરવા માટે તૈયાર નથી, ત્યારે કેમેરા સમક્ષ કાંઈજ બોલવા તૈયાર નથી, ત્યારે આ હઝારો હેક્ટરમાં વાવેતર કરતા ખડૂતો આજે સિંચાઈના પાણી ન મળતા ત્રસ્ત થઇ ગયા છે જો ઉચ્ચ અધિકારીઓ આ ખેડૂતો માટે અન્ય કોઈ વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે.