canada pm trudeau vows action after four indians freeze to death at border with US Canada pm Trudeau vows action after four Indians freeze to death at border with US
આદેશ /
કેનેડામાં ચાર ગુજરાતીઓના મોત મામલે એક્શનમાં આવ્યા PM ટ્રૂડો, બોલ્યા કડક કાર્યવાહી કરીશ
કનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ શુક્રવારે ચાર ભારતીયોના મોત મામલે આકરુ વલણ દાખવ્યુ. કસમ ખાત કહ્યુ કે કડક કાર્યવાહી કરીશ.
કેનેડામાં ચાર ભારતીયોના મોત
જસ્ટિન ટ્રૂડોએ દુઃખ વ્યક્ત કર્યુ
"સખત કાર્યવાહી કરીશ "
કનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ શુક્રવારે ચાર ભારતીયોના મોત બાદ માનવ તસ્કરી મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની કસમ ખાધી છે. આ ચારેય ભારતીયો કથિત રીતે કેનેડા અને અમેરિકા વચ્ચે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે દરમિયાન વધારે પડતી ઠંડીને લીધે તેઓ મોતને ભેટ્યા. આ મામલે જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યુ કે આ એક હેરાન કરી દેનારી વાત હતી. એક પરિવારને આ રીતે મરતા જોવુ એ ખરેખર દુખની વાત છે. આનાથી વધારે ખરાબ બાબત તો એ છે કે તેઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને માનવ તસ્કરીને અંજામ આપવો. તેમણે વધુમાં જણાવ્યુ કે અમે લોકો અનિયમિત અને ગેરકાયેદસર રીતે સરહદ પાર કરનારને રોકવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ આમ કરવામાં મોટુ જોખમ છે તે પણ અમે જાણીએ છીએ.
માનવ તસ્કરી રોકવા માટે કેનેડા યુએસ સાથે કામ કરી રહ્યું છે
ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા દાણચોરીને રોકવા અને લોકોને "જોખમથી બચાવવામાં મદદ કરવા માટે યુએસ સાથે મળીને કામ કરી રહ્યું છે." રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ ગુરુવારે જણાવ્યું હતું કે, ઇમર્સનની નજીક કેનેડિયન-યુએસ બોર્ડર પર કેનેડા બાજુએથી બુધવારે ચાર મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં બે પુખ્ત વયના લોકો હતા જ્યારે એક કિશોર અને એક શિશુ હતું. કેનેડાનું મૈનિટોબા પ્રાંત મિનેસોટામાં યુએસ સરહદથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલુ છે.
મૃતકો મૂળ મહેસાણાના હોવાનું આવ્યું સામે
કેનેડા-યુએસ બોર્ડર પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી ચાર લોકો થીજી જતા મોત નીપજ્યું છે. આ ઘટનાની વિદેશમંત્રી એસ.જયશંકરે પણ નોંધી લીધી છે. આ દરમિયાન આ ચારેય મૃતકો મૂળ મહેસાણાના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.જેમાં પતિ ઓળખ તેજસ પટેલ અને પત્નીની ઓળખ અલ્કા પટેલ તરીકે કરાઈ છે. એક 12 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ મળ્યા ત્યારે તાપમાન માઇનસ 35 ડિગ્રી હતું.ઠંડીમાં ઠુંઠવાઇ જતા મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.ચારેય મૃતદેહ બોર્ડરથી 9 થી 12 મીટરના અંતરે મળ્યા હતા.
માઇનસ 35 ડિગ્રીમાં થીજી જતા મૃત્યુ
અમેરિકા-કેનેડાની બોર્ડર પર ચાર ભારતીય નાગરિકનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળક છે, જ્યારે શબ બરામદ થયા ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.
ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા
કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.