કેનેડામાં એક રહસ્યમય દિમાગ બિમારીથી 40થી વધારે મામલા સામે આવ્યા છે.
આ બિમારીના કારણે દેશમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે
વર્ષ 2020માં આ બિમારીથી 24 લોકો ગ્રસ્ત હતા
વર્ષ 1996માં સૌથી પહેલા સીજેડીનો મામલો સામે આવ્યો હતો
આ બિમારીના કારણે દેશમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે
સીબીસીની રિપોર્ટ અનુસાર આ બિમારીના કારણે દેશમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ બિમારીને ખતરનાક બ્રેન ડિસઓર્ડર ક્રુજફેલ્ડ જેકબ (સીજેડી) નામની બિમારી સાથે મળતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સીજેડી આ બિમારીનું જ વેરિએન્ટ છે
ઉલ્લેખનીય છે કે બીએસઈ એટલે કે બોવાઈન ર્સ્પોજીફોર્મ ઈનસેફેલોપેથી(બીએસઈ) નામની આ બિમારી ગાયમાં જોવા મળે છે. આ દિમાગની બિમારી ગાયના સેંટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ ગાય પ્રાયોન નામના પ્રોટિનથી ફેલાય છે. આના ચાલતા ગાય નર્વસ અથવા હિંસક થઈ શકે છે. એટલા માટે ગાયને પાગલ કરનારી બિમારી કહેવામાં આવે છે. સીજેડી આ બિમારીનું જ વેરિએન્ટ છે.
વર્ષ 2020માં આ બિમારીથી 24 લોકો ગ્રસ્ત હતા
જો કોઈ વ્યક્તિ બીએસઈથી અસરગ્રસ્ત ગાયનું માંસ ખાય છે. તો તેને સીજેડી થઈ શકે છે. સીબીસીની રિપોર્ટ મુજબ આ રહસ્યમય બિમારીનો પહેલો કેસ 2015માં સામે આવ્યો હતો. આ બાદ આ કેસ સતત વધી રહ્યા છે. વર્ષ 2020માં આ બિમારીથી 24 લોકો ગ્રસ્ત હતા. અને આ વર્ષ 6 કેસ સામે આવ્યા છે. કેનેડા શહેર બર્ટરેન્ડના મેયર વોન ગોડિને આ બિમારી વિશે વાત કરતા કહ્યું કે કોરોના બાદ જ લોકો આ પ્રકારની બિમારીઓને લઈને વધારે ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે. તેમણે કહ્યું તે લોકો પુછી રહ્યા છેકે શું આ ઉંદરથી ફેલાય છે કે રોઈ જાનવરથી. શું કોરોનાની જેમ આને લઈને કોઈ ઉપાય કરાશે.
વર્ષ 1996માં સૌથી પહેલા સીજેડીનો મામલો સામે આવ્યો હતો
કેનેડાના ન્યુ બ્રુનસ્વીક શહેરના હેલ્થ અધિકારીઓ આ પ્રકારને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેવી રીતે 43 લોકોને આ બિમારી થઈ. હાલ સીજેડીની કોઈ સારવાર નથી. આ બિમારીથી 77 લોકો માર્યા ગયા છે. વર્ષ 1996માં સૌથી પહેલા સીજેડીનો મામલો એક બ્રિટિશ બાળકનો સામે આવ્યો હતો. જે તેને બીફ બર્ગર ખાતા થઈ હતી.