કેનેડામાં ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની ઘટના બની હતી અને સ્થાનિક અધિકારીઓએ પણ તેની પુષ્ટિ કરી છે
કેનેડામાં ભારતીય સ્મારકમાં તોડફોડ
ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડની ઘટના
કેનેડામાં ભારત વિરોધી તત્વોનો આતંક વધ્યો
કેનેડામાં ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની ઘટના બની હતી અને સ્થાનિક અધિકારીઓએ પણ તેની પુષ્ટિ કરી છે. સાથે જ મેયરે પણ આ ઘટનાનો ઉલ્લેખ કરીને ટ્વીટર પર તેની પુષ્ટિ કરી છે. મેયરના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ ખોલવામાં આવેલા ભગવદ્ ગીતા પાર્કમાં તોડફોડની ઘટના બની છે. કેટલાક ભારત વિરોધી તત્વોએ ટોરેન્ટોના સ્વામી નારાયણ મંદિરમાં પણ તોડફોડ કર્યાના એક દિવસ બાદ આ વાત સામે આવી છે. આ પાછળનો તર્ક એ છે કે આ લોકો મોદી સરકારની એડવાઈઝરીનો વિરોધ કરી રહ્યા છે, જે કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે જારી કરવામાં આવી રહી છે.
મેયરે ઘટનાને વખોડી
મેયર પેટ્રિક બ્રાઉને આ ઘટનાઓને વખોડી કાઢી હતી અને કહ્યું હતું કે, "અમે આવી પ્રવૃત્તિઓ માટે ઝીરો સહિષ્ણુતાની નીતિને અનુસરીએ છીએ. આ કેસ વધુ તપાસ માટે પીલ રિજનલ પોલીસને સોંપવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. પાર્ક વિભાગ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સાઈનને જેમ બને તેમ જલ્દી સુધારી લેવામાં આવશે. એક યુઝરની કોમેન્ટનો જવાબ આપતાં બ્રાઉને વધુ એક ટ્વીટ પોસ્ટ કરીને લખ્યું હતું કે પીલ રિજનલ પોલીસના વડાએ ખાતરી આપી છે કે આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ચાલો આપણે આવી હિંસા અને નફરતના ગુના સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિનું પાલન કરીએ.
We are aware that the recently unveiled Shri Bhagavad Gita Park sign has been vandalized. We have zero tolerance for this.
We have flagged to Peel Regional Police for further investigation.
Our Parks department is working to resolve and correct the sign as soon as possible.
થોડા દિવસો પહેલા પણ અસામાજિક તત્વોએ મંદિરને નુકશાન કર્યું હતું
હકીકતમાં થોડા સમય પહેલા બ્રેમ્પટન ટ્રાઇયર્સ પાર્કનું નામ બદલીને ભગવદ ગીતા પાર્ક કરવામાં આવ્યું હતું અને તેનું સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. શહેરમાં વસતા હિન્દુ સમાજના સારા કામ અને શહેરના વિકાસમાં યોગદાન આપવાને કારણે આ શક્ય બન્યું હતું. આ પછી આ બોર્ડને તોડી પડાયો હતો. થોડા સમય પહેલા ટોરેન્ટોના સ્વામી નારાયણ મંદિરમાં પણ ભારત વિરોધી તત્વો દ્વારા આવી જ રીતે તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના સામે ભારતના હાઈ કમિશને વાંધો ઉઠાવ્યો હતો અને ટોરન્ટો પ્રશાસનને આ મામલે તપાસ કરીને ગુનેગારોને સજા અપાવવાની માગણી કરી હતી.
ખાલિસ્તાનીઓ કરી રહ્યા છે આ કૃત્ય
આ ઘટના બાદ ભારતીય મૂળ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ આરોપ લગાવ્યો હતો કે કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ આ તોડફોડ કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે આ પહેલી ઘટના નથી અને ભારત વિરોધી ખાલિસ્તાની સમર્થકો આવી ઘટનાઓ કરતા રહે છે.