જ્યારથી યુપી ચૂંટણીના પરિણામ આવ્યા છે, ત્યારથી યોગી આદિત્યનાથનો ગુરૂ ઉચ્ચ ગ્રહમાં ચાલે છે. યોગીએ ઈતિહાસની છાતી પર ચડીને પોતાનો જલવો પ્રદર્શિત કર્યો છે.
યુપીમાં ભાજપની જીતે ઘણા રેકોર્ડ તોડ્યા
ફરી વાર સત્તામાં આવવાથી યોગીનો ગ્રાફ ઉંચ્ચો ગયો
ભાજપમાં યોગીનું કદ ચોક્કસપણે વધશે
જ્યારથી યુપી ચૂંટણીના પરિણામ આવ્યા છે, ત્યારથી યોગી આદિત્યનાથનો ગુરૂ ઉચ્ચ ગ્રહમાં ચાલે છે. યોગીએ ઈતિહાસની છાતી પર ચડીને પોતાનો જલવો પ્રદર્શિત કર્યો છે. 2017ની સરખામણીમાં ભલે સીટો ઓછી આવી હોય, પણ વોટશેર વધ્યા છે. હવે એ મહત્વનું નથી કે, યોગી બીજી વાર યુપીના મુખ્યમંત્રી બનશે. પણ વાત આગળ વધવા લાગી છે કે, યુપીના મુખ્યમંત્રી બનવા ઉપરાંત યોગી માટે આગળનો કેવો પ્લાન હશે ?
યોગી અને મોદીની તસ્વીર ઘણુ બધું કહી જશે
આ સવાલનો જવાબ જાણવા માટે આપણે બંનેની સાથે વાળી તસ્વીર જોવી પડશે. જે લગભગ ચાર મહિના પહેલાની છે. આ તસ્વીર લખનઉના રાજભવનમાં લેવામાં આવી હતી. આ તસ્વીર ત્યારની છે, જ્યારે આ પ્રકારના સમાચાર આવી રહ્યા હતા કે, ભાજપમાં દિલ્હી અને લખનઉમાં ઘણુ અંતર છેટૂ થઈ ગયું છે. યોગીના ખભ્ભા પર પ્રધાનમંત્રી મોદીનો હાથ, મુખ્યમંત્રી યોગીનો ગુરૂમંત્ર પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી મોદીએ જે પણ સમજાવ્યું, તેને યોગીએ એવી રીતે સમજી લીધું કે, વિપક્ષનું મોઢુ ફાટી રહ્યું અને યુપી બોલ્યું, યે દિલ માંગે યોગી. કારણ કે યુપી માટે યોગી જ ઉપયોગી છે.
જોઈ લો યોગીનું વ્યક્તિત્વ અને રાજકારણ
હવે આ વાત પરથી વધું એક સવાલો ઉપજે છે, યોગી યુપી માટે ઉપયોગી છે, કે પીએમ મોદી માટે ઉપયોગી છે. યોગી પોતાની રાજનીતિ ખાલી યુપી સુધી મર્યાદિત રાખશે, કે પછી ભાજપ માટે મોટી ભૂમિકામાં કામ આવી શકશે. અત્યાર સુધી ભાજપમાં પીએમ મોદીનો નંબર 2 તરીકે ઔપચારિક રીતે રાજનાથ સિંહ અને અનૌપચારિક રીતે અમિત શાહને માનવામાં આવતા હતા. આ બંનેની વચ્ચે શું હવે નંબર માટે જનતાની સ્વભાવિક પસંદ યોગી બન્યા છે ? તેનો જવાબ જાણવા માટે આપ પ્રધાનમંત્રી મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વ્યક્તિ અને રાજકારણ સમજવું જોઈએ.
મોદી અને યોગીમાં છે આ સેમ કનેક્શન
મોદી સંયોગવશ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને યોગી પણ સંયોગથી યુપીના મુખ્યમંત્રી બન્યા, મોદીએ વીસ વર્ષ પહેલા સાબિત કરી દીધું હતું કે, તે જનતાનું દિલ જીતવાનું જાણે છે. હવે યોગીએ પણ આવું કરી બતાવ્યું છે. મોદીની માફક યોગી પણ પોતાના નિર્ણયો આક્રમક રીતે ડર્યા વગર કરી રહ્યા છે. બંને નેતાઓને ટિકાની જરાં પણ ચિંતા નથી. મોદી માફક યોગીની છબી પણ એક કડક પ્રશાસક અને ઈમાનદાર નેતાની છે. મોદીની માફક યોગી પણ દેશની જનતા વચ્ચે હવે લોકપ્રિયા નેતા બની ગયા છે. આ તમામની સાથે યોગીનો ભગવો ધારણ કરવો, તેમના રાજકારણમાં સંન્યાસનો પવિત્ર રંગ પણ મેળ ખાય છે.
સંન્યાસીની આગળ સૌ કોઈનું માથુ ઝૂકી જાય છે
હિન્દુસ્તાનમાં સત્તાને ગાળો પણ ભાંડવામાં આવતી હોય, પણ સંન્યાસી આગળ સૌ કોઈના માથા ઝૂકી જતાં હોય છે. ભાજપના મોટા મોટા નેતા અને રાજ્યોના મુખ્યમંત્રી પણ આ જ ભાવથી યોગી આગળ નતમસ્તક થઈ જાય છે. શિવરાજ સિંહ ચૌહાણથી લઈને ગજેન્દ્ર સિંહ શેખાવત સુધીના કેટલાય નેતાઓની આવી તસ્વીરો આવી છે. યોગી આદિત્યનાથ ગૌરક્ષ મંદિરના મહંત છે. આ નાતે તેઓ નાથ સંપ્રદાયના પણ સર્વેસર્વા છે. આ સંપ્રદાયના લાખો લોકો દેશભરમાં ફેલાયેલા છે. કર્ણાટક, હરિયાણા, રાજસ્થાનથી લઈને ત્રિપુરાની કેટલાય વિધાનસભ સીટો પર તેમનો દબદબો છે. યોગીનું કનેક્શન હવે રાજનીતિમાં તેમના માટે આ વાત બોનસ બની ગઈ છે. ગુજરાતના સીએમ રહેતા મોદી બ્રાંડ બની ચુક્યા હતા, ત્યારે તેમનો ચહેરો હિન્દુત્વનો હતો, બાદમાં ગુજરાતના વિકાસ મોડલને દેશભરમાં પ્રચારિત કરીને મોદીએ પોતાની એક નવી છબી ઉભી કરી. જેમાં ગરીબોના મસીહાથી લઈને પછાત લોકોના સાથીનો ભાવ પણ સમાયેલો હતો.
મોદીના રસ્તે યોગી પણ
સતત પાંચ વાર ગોરખપુરથી સાંસદ બન્યા બાદ જ્યારે તેમણે યુપીની ધુરા સંભાળી ત્યારે તેઓ ઉગ્ર હિન્દુત્વના પ્રતિક હતા. તેમની છબી બદલાયેલી હતી. જો કે, પાંચ વર્ષના કામકાજના આધારે તેમની છબી હવે યુપીમાં બુલડોઝર બાબા તરીકેની બની ગઈ છે. રાજકાજ ચલાવવામાં યોગીનું આ બાહુબલી મોડલ ખૂબ ચર્ચાામં છે. મધ્ય પ્રદેશ અને આસામ જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં પણ યોગીની નકલ કરવામાં આવી રહી છે.
યોગી પણ નંબર ટૂ બની શકે છે
રાજકારણમાં ઉંડાણ પૂર્વક સમજ ધરાવતા લોકોમાં મતમતાંતર છે. વરિષ્ઠ પત્રકાર બ્રજેશ શુક્લા કહે છે કે, ભાજપમાં નંબર 1થી લઈને 100 સુધી ફક્તને ફક્ત મોદી જ છે. હાલમાં તો નંબર ટૂની કોઈ જરૂર નથી. તો વળી અન્ય એક વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર કહે છે કે, સંગઠન અને સરકારના હિસાબે તો અમિત શાહ જ નંબર ટૂ છે. પણ જનતાની પસંદના હિસાબે યોગી પણ નંબર ટૂ હોઈ શકે છે. નરેન્દ્ર મોદી અને યોગીની કેમિસ્ટ્રી ગજબની છે. કેન્દ્રની યોજનાઓ જો ક્યાંક પણ પૂરી નિષ્ઠા સાથે લાગૂ થઈ છે, તો તે છે યુપી.