બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું મહિલાઓ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે? ના જાણતા હોવ તો જાણી લેજો પહેરવાની માન્યતા

ધર્મ / શું મહિલાઓ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે? ના જાણતા હોવ તો જાણી લેજો પહેરવાની માન્યતા

Last Updated: 09:42 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શંકરને બેલપત્ર, ધતુરા, નાગ અને રુદ્રાક્ષ પણ ખૂબ પ્રિય છે. કથાઓ અનુસાર રુદ્રાક્ષ એ ભગવાન શિવની આંખોમાંથી પડેલ આંસુ છે. તેને ધારણ કરવાથી અનેક કષ્ટો દૂર રહે છે. પરંતુ અમુક વખત સવાલ થતો હોય છે કે, શું સ્ત્રીઓ રુદ્રાક્ષ ધારણ કરી શકે ખરા? અને જો હા તો તેને ધારણ કરવાની વિધિ કઈ હોય છે?

હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેને પહેરવાથી વ્યક્તિને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. પરંતુ ઘણી વખત લોકોના મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરી શકે ? શિવપુરાણમાં ભગવાન શિવ અને તેમની પ્રિય વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શંકર ભગવાનને બેલપત્ર, ધતુરા, નાગ સિવાય રુદ્રાક્ષ પણ ખૂબ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, રુદ્રાક્ષ એ ભગવાન શિવની આંખોમાંથી પડેલ આંસુ છે. તેને ગ્રહણ કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

રુદ્રાક્ષના વૃક્ષની વાત કરવી હોય તો તે એક કઠોર ડાળીઓવાળું વૃક્ષ હોય છે. જેના પર સફેદ ફૂલો આવે છે. તે શરૂઆતમાં લીલા રંગનું ફળ આપે છે, પાક્યા પછી વાદળી થઈ જાય છે અને સુકાયા બાદ કાળા થઈ જાય છે. આ કાળા ફળનું બીજ રુદ્રાક્ષ કહેવાય છે. જેની ધારીઓ જણાવે છે કે તે કયું રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ પર એક થી ચૌદ ધારીઓ હોય છે. આ રેખાઓની સંખ્યાના આધારે રુદ્રાક્ષનું નામકરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક રેખાવાળા રુદ્રાક્ષને એકમુખી કહેવામાં આવે છે, બે રેખાઓવાળા રુદ્રાક્ષને દ્વીમુખી કહેવામાં આવે છે અને પાંચ રેખાઓવાળા રુદ્રાક્ષને પંચમુખી કહેવામાં આવે છે.

  • સ્ત્રીઓ પહેરી શકે રુદ્રાક્ષ
    મોટાભાગે ખૂબ ઓછી સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરેલી જોવા મળે છે. ફક્ત સાધ્વી સ્ત્રીઓ જ રૂદ્રાક્ષ પહેરે છે. શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરી શકે છે અને તે તેમના માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે.
Rudraksh (2)
  • રુદ્રાક્ષ પહેરવાના નિયમો
    જો સ્ત્રીઓ રુદ્રાક્ષ પહેરે તો તેમને તેના કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. આ સાથે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. માસિક ચક્ર દરમ્યાન રુદ્રાક્ષની માળા કાઢી નાખવી જોઈએ અને બાદમાં તેને શુદ્ધ કરીને ફરીથી પહેરવી જોઈએ.
  • સ્ત્રીઓ માટે કયો રુદ્રાક્ષ?
    શાસ્ત્ર અનુસાર એકમુખી, દ્વીમુખી અને ત્રીમુખી રુદ્રાક્ષ સ્ત્રીઓ માટે વધુ શુભ હોય છે. જો કોઈ સ્ત્રી પોતાના હાથમાં રુદ્રાક્ષ પહેરવા માંગતી હોય તો તેને ડાબા હાથમાં પહેરવું જોઈએ. હાથમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્ત્રીમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે.

વધુ વાંચો : 2025ના વર્ષમાં 76 દિવસ ગૂંજશે લગ્નની શરણાઇ, સૌથી વધારે શુભ મુહૂર્ત આ 2 મહિનામાં

  • રુદ્રાક્ષ પહેરવાની વિધિ
    રુદ્રાક્ષ પહેરતા પહેલા તેને ભગવાન શિવને અર્પણ કરવું અને તેને થોડીવાર ત્યાં રહેવા દેવું. બાદમાં "ઓમ નમઃ શિવાય" મંત્રનો 11 વાર જાપ કરો અને રુદ્રાક્ષ ધારણ કરો. તે વાત ધ્યાનમાં રાખો કે રુદ્રાક્ષ પહેરતા પહેલા તમારે જ્યોતિષ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. કેમ કે સમય અને રાશિ પ્રમાણે રુદ્રાક્ષ પહેરવું શુભ માનવામાં આવે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rudraksh Lord Shiva Woman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ