રાજ્યસભા સાસંદ તરીકે રાજીનામુ આપનાર ટીએમસી નેતા દિનેશ ત્રિવેદીએ પોતાની જ પાર્ટી પર ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
પાર્ટીમાં પ્રોફેશનલ લોકો હાવી થઈ ગયા છે.
મને ગાળાગાળી કરવાનું પસંદ નથી અને અમે તે માટે સંસદ આવ્યાં નથી.
એક ગરીબ પાર્ટી માટે આટલા બધા પૈસા પ્રોફેશનલને કેમ અપાઈ રહ્યાં છે.
દિનેશ ત્રિવેદીએ કહ્યું કે મેં મારા અંતરાત્માના અવાજને અનુસરીને રાજીનામુ આપ્યું છે. પાર્ટીમાં પ્રોફેશનલ લોકો હાવી થઈ ગયા છે. મને ગાળાગાળી કરવાનું પસંદ નથી અને અમે તે માટે સંસદ આવ્યાં નથી. જો અમારી પાર્ટી ઈચ્છતી હોય કે અમારે દરરોજ વડાપ્રધાનને ગાળો આપવી તો અમારાથી આ કામ થઈ શકે તેમ નથી, પૈસા પણ તેમને અપાઈ રહ્યાં છે. હિંસાને ટેકો આપતા નથી.
ટીએમસી હવે પ્રોફેશનલ લોકોની પાર્ટી બની
તેમણે કહ્યું કે મમતા બેનરજી એક મહાન નેતા છે અને હમેંશા રહેશે. ટીએમસી હવે મારી પાર્ટી રહી નથી તે હવે પ્રોફેશનલ લોકોની પાર્ટી બની ગઈ છે અને તેઓ પાર્ટીને ચલાવી રહ્યાં છે. એક ગરીબ પાર્ટી માટે આટલા બધા પૈસા પ્રોફેશનલને કેમ અપાઈ રહ્યાં છે.
ટીએમસીમાં મને ગભરામણ થઈ રહી હતી
દિનેશ ત્રિવેદીએ કહ્યું કે ખરેખર તો આપણે જન્મભૂમિ માટે છીએ અને મારાથી એ જોઇ શકાતું નથી કે આપણે કરીએ તો શું કરીએ, એક પાર્ટીમાં છીએ તો સીમિત છે, પરંતુ હવે મને ગભરામણ જેવું લાગી રહ્યું છે, આપણે કાંઇ કરી શકતા નથી, બીજી તરફ અત્યાચાર થઇ રહ્યો છે, આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દે અને બંગાળની જનતાની વચ્ચે જઇ રહો.
ટીએમસીને વધુ એક ઝટકો લાગ્યો
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસ (TMC)ને વધુ એક ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન પોતાનું રાજીનામું જાહેર કર્યું. દિનેશ ત્રિવેદીએ જલ્દી જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવી અટકળો તેજ બની ગઇ છે. દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, હું આજે અહીં (રાજ્યસભા)માંથી રાજીનામું આપવા જઇ રહ્યો છું અને દેશ માટે, બંઘાળ માટે હંમેશા કામ કરતો રહ્યો છું અને કરતો રહીશ. જો કે એક અટકળ મુજબ દિનેશ ત્રિવેદી હવે તૃણમુલ કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી શકે છે. TMCમાંથી રાજીનામું આપ્યાં બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.