ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું કે, આજે ભાજપે પોતાનું ઘોષણાપત્ર રજૂ કર્યુ અને આમાં માત્ર પાર્ટીનો અહંકાર જ દેખાડવામાં આવ્યો છે. અહમદ પટેલે આને જૂઠ્ઠું કરાર કરતા કહ્યું કે દેશની સામે ન્યાય વિરૂદ્ધ જૂઠ્ઠ અને અહંકારનું ઘોષણાપત્ર આપ સૌની સામે છે. પટેલે વધુમાં એમ જણાવ્યું કે દેશની જનતા ભાજપને સારી રીતે ઓળખી ગઇ છે અને તેઓએ પાંચ વર્ષમાં જે કંઇ પણ કર્યુ તે આપ સૌની સામે જ છે.
એવામાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા પટેલે જણાવ્યું કે જનતા ભાજપને સારી રીતે ઓળખી ચૂકી છે પરંતુ અમે સૌ દેશવાસીઓને ન્યાય આપીશું. ક્યારેય પ્રધાનમંત્રી ચાયવાળા, ચોકીદાર, ફકીર બનીને દેશની સામે આવે છે કે જેઓએ આ બધું જોવાનું છે કે જે આ વખતે નહીં ચાલવાનું.
After we presented our manifesto, we held a detailed Q&A session
And immediately after BJP presented its manifesto, all of their leaders went home without even taking a single question
No answers on their 5 years?
It is this arrogance which will bring them down on May 23rd
પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, મોદીજીનો મૂળ મંત્ર છે કે 'ઝાંસે મેં ફસાઓ.' મોદી સરકારે દેશની સરકાર પર વિશ પાથરી દીધું છે અને આ વાતની પુષ્ટિ સ્વયં 2014માં ભાજપનાં ઘોષણાપત્રનાં પ્રમુખ મુરલી મનોહર જોશીએ કરી. સુરજેવાલાએ કહ્યું કે અમે પાંચ વર્ષોમાં જોયું કે, પોતાની અસફળતાને હંમેશાં તેઓએ બીજા પર જ નાખી છે.
Ahmed Patel.Congress: The difference between BJP manifesto and Congress manifesto can be seen firstly from the cover page. Our's has a crowd of people, and BJP manifesto has face of just one man. Instead of a manifesto BJP should have come out with a 'maafinama' pic.twitter.com/nGjdHyu3QH
સુરજેવાલાએ પણ સીધાં જ પ્રહાર કરતા રાજનાથ સિંહ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, આ લોકોએ આજે જીએસટી, કાળું ધન, નોટબંધી, રોજગાર જેવાં તમામ મુદ્દાઓ પર કંઇ જ ના કહ્યું.
સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસે ભાજપનાં સંકલ્પ પત્રમાંથી 11 જૂઠ્ઠી જાહેરાતો નિકાળી છે. નોકરી અને રોજગાર, ભાજપનાં નેતાઓનાં ભાષણમાંથી ગાયબ થઇ ગયાં. નોટબંધીની ચર્ચા પણ ના કરાઇ. જીએસટી પર પણ કોઇ જ વાત ના કરી. કાળાં નાણાંની વાત પર 2014માં સત્તામાં આવ્યાં પરંતુ આજ સુધી તેનાં પર કોઇ જ વાત ના કરાઇ.