ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લાં ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. તેના સંન્યાસને લઈને અવારનવાર અટકળો થતી હોય છે ત્યારે દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવે ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી પર શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને નથી લાગતું કે આટલા લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહીને કોઈ પણ વાપસી કરી શકે.
મહેન્દ્ર સિંહ ધોની છેલ્લાં ઘણા સમયથી ક્રિકેટથી દૂર
તેના સંન્યાસને લઈને ચાલી રહી છે અટકળો
આ દિગ્ગજ ખેલાડીને તેની વાપસી પર શંકા
1983 Cup , Me and my entire team very proud of this beauty which I saw after 1983 at BCCI office in mumbai. pic.twitter.com/8Hf3kkAQbs
ભારતને પોતાની કેપ્ટન્સી હેઠળ બે વર્લ્ડ કપ જીતાડનાર ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં આઇસીસી વર્લ્ડ કપ બાદથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી અને તાજેતરમાં બીસીસીઆઈએ તેમને કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દીધો છે.
ધોની પર બધાંની નજર
1983માં ભારતને વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ દેવે કહ્યું, જો તમે આટલા લાંબા સમયથી ક્રિકેટ રમ્યા નથી તો મને નથી લાગતું કે તમે વાપસી કરી શકો છો. વધુમાં કપિલ દેવે કહ્યું કે, આઈપીએલમાં ધોનીની વાપસી અને તેના પર્ફોમન્સ પર બધાંની નજર રહેશે.
ધોની માટે અગત્યનું છે આઈપીએલ
વધુમાં કપિલે કહ્યું, ધોની પાસે આઈપીએલ દ્વારા ક્રિકેટમાં વાપસી કરવાની તક છે. અહીં તેનું ફોકસ અને પર્ફોમન્સ ખૂબ જ મહત્વ ધરાવશે અને સિલેક્ટર્સ નક્કી કરશે કે દેશ માટે શું સર્વશ્રેષ્ઠ છે. ધોનીએ દેશ માટે ઘણું યોગદાન આપ્યું છે, પરંતુ જ્યારે કોઈ ખેલાડી 6-7 મહિનાથી રમતથી દૂર થઈ જાય તો દરેકના મગજમાં શંકા થવા લાગે છે.