ભારતીય બંધારણની કલમ 164(4) અનુસાર,મમતાએ છ મહિનાની અંદર પેટાચૂંટણીમાં વિજયી બનવું પડશે અને તો જ તેઓ સીએમ બનીને રહી શકશે. જોકે મમતા છ મહિનાની અંદર કોઈ બેઠક પર ન ચૂંટાય આવે અથવા તો પેટાચૂંટણીમાં હારી જાય તો તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે.કલમ 164(4) હેઠળ કોઈ મંત્રી સતત છ મહિના સુધી કોઈ રાજ્યની ધારાસભાના સભ્ય ન હોય તો છ મહિના બાદ તેણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડે છે.
ભૂતકાળમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જ્યાં મુખ્યમંત્રીઓ પોતાની બેઠક પરથી હાર્યા હોવા છતાં પણ મુખ્યમંત્રી પદે યથાવત રહી શક્યા હતા.
ઉદાહરણ તરીકે 2011 માં મમતા જ્યારે સાંસદ હતા ત્યારે તેમની પાર્ટી ટીએમસી રાજ્યની સત્તા પર આવી હતી તે વખતે તેઓ મુખ્યમંત્રી બન્યાં અને બાદમાં ભવાનીપુરની પેટાચૂંટણીમાં વિજયી બન્યા હતા. વિધાનપરિષદ હોય તેવા રાજ્યોમાં કોઈ ઉમેદવાર એમએલસી તરીકે ચૂંટાઈને સીએમ બની શકે છે. 2017 માં યુપીના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ પણ વિધાન પરિષદમાં ચૂંટાઈ આવ્યાં હતા. યોગી કંઈ વિધાનસભાની ચૂંટણી લડીને સીએમ બન્યા નથી.
પેટાચૂંટણીમાં પણ હારી જાય તો શું થશે
પેટાચૂંટણીમાં હારી જવાના કિસ્સામાં મુખ્યમંત્રીએ કે કોઈ મંત્રીએ રાજીનામું આપવુ પડે છે.2009 માં ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેને તમર બેઠકની પેટાચૂંટણીમાં હારી ગયા હતા અને તેને પરિણામે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું પડ્યું હતું. જોકે આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.