મહાભારતને કારણે જ ઘરમાં કલેશ થવાનો દાવો શા માટે કરવામાં આવે છે? શું આ દાવો સાચો છે કે, પછી લોકોને ભ્રમિત કરવા માટે આ પ્રકારે કહેવામાં આવે છે.
મહાભારતને પાંચમો વેદ માનવામાં આવે છે.
મહાભારત ઘરમાં રાખવી જોઈએ કે નહીં?
ઘરમાં કલેશ થવાનો દાવો કેટલી હદે સત્ય?
હિન્દુ ધર્મમાં મહાભારતને પાંચમો વેદ માનવામાં આવે છે. તમે ઘરમાં વડીલના મોઢેથી એવું તો સાંભળ્યું જ હશે કે, મહાભારતને વાંચવી પણ ના જોઈએ અને રાખવી પણ ના જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં કલેશ ઉત્પન્ન થાય છે અને એકબીજા વચ્ચે લડાઈઓ થાય છે. મોટી સંખ્યામાં અનેક લોકો આ પ્રકારનો જ દાવો કરતા હોય છે, પરંતુ શું આ દાવો સાચો છે કે, પછી લોકોને ભ્રમિત કરવા માટે આ પ્રકારે કહેવામાં આવે છે. આ બાબતે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. મહાભારતમાં પાંડવો અને કૌરવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, પરંતુ શું માત્ર આ બાબતના કારણે મહાભારત રાખવાની અથવા વાંચવાની ના પાડવામાં આવે છે. જો પરંપરાગત શાસ્ત્રોમાં નજર નાખવામાં આવે તો રામાયણ અને દુર્ગા સપ્તશતીમાં પણ યુદ્ધની વાત કરવામાં આવી છે. દસરાજ્ઞ અને ઇન્દ્ર વૃદ્ધાશૂરનું વેદમાં વર્ણન કરવામાં આવ્યું છે. દસરાજ્ઞના યુદ્ધમાં પણ પરિવાર વચ્ચે થતા કલેશ વિશે જણાવવામાં આવ્યું છે, જેના કારણે યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. મહાભારતને કારણે જ ઘરમાં કલેશ થવાનો દાવો શા માટે કરવામાં આવે છે?
મહાભારતને ઘરમાં રાખવા અંગે કરવામાં આવતો દાવો
દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રાચીન કાળથી ઘરમાં મહાભારત રાખવામાં આવે છે. પરંતુ મધ્યકાળમાં એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે, મહાભારત ઘરમાં ના રાખવી જોઈએ. આ અફવાના કારણે લોકો આ દાવાને સાચો માનવા લાગ્યા. દાવો કરવામાં આવે છે કે, હિન્દુઓને ધર્મથી વિમુક્ત કરવા માટે આ પ્રકારે અફવા ફેલાવવામાં આવી હતી. મહાભારત અંગે અફવા ફેલાવામાં આવી તો, બીજી તરફ રામાયણ પર પણ સવાર ઉઠાવવામાં આવ્યા હતા.
મહાભારતમાં આપવામાં આવેલ જ્ઞાન
મહાભારતમાં વેદ, ઉપનિષદ, પુરાણ અને હિન્દુઓના અનેક ગ્રંથોનો સાર છે. દાવો કરવામાં આવે છે કે, ઘરમાં મહાભારત ગ્રંથ હોવો ખૂબ જ જરૂરી છે. મહાભારત વાંચવાથી ઇતિહાસ વિશે સમજ વધુ મજબૂત બને છે. મહાભારતમાં સંબંધ, રાજ્ય અને જીવન સાથે જોડાયેલ તમામ સમસ્યાઓનું નિવારણ મળી જાય છે.
મહાભારતમાં આપવામાં આવેલ શીખ
મહાભારત વાંચવાથી ધર્મ, જ્ઞાન, તર્ક, મોક્ષ અને રાજનીતિ વિશે જાણવા મળે છે. ઉપરાંત ગીતા, વિદુર નીતિ, ભીષ્મની નૈતિકતા, યક્ષ પ્રશ્ન અને ધૃતરાષ્ટ્ર-સંજયના સંવાદ વિશે જાણકારી મળે છે. મહાભારત વિશે જાણવામાં ન આવે તો તમે આ પ્રકારના જ્ઞાનથી વંચિત થઈ શકો છો.