બનાસકાંઠાના લાખણી અને દાંતામાં ચોક્કસ સમાજે કેટલાક નિયમો બનાવ્યા.. આ નિયમો એવા છે કે જેમાં સિક્કાની બીજી બાજુ હોય શકે છે. ઉદાહરણ તરીકે એવો નિયમ બનાવાયો કે યુવક કે યુવતી ટિકટોકનું વળગણ છોડે અથવા સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ન કરે. તો સામો સવાલ એ થાય કે આજના સમયમાં મોબાઈલ વગર રહેવુ શકય છે ખરુ?. એમ કહેવામા અતિશયોકિત નહીં કહેવાય કે આજના યુવાવર્ગને કદાચ હવા-પાણી વગર ચાલી જશે પરંતુ મોબાઈલ વગર નહીં ચાલે
એ વાત સાચી છે કે કોઈપણ વસ્તુનું હદ બહારનું વળગણ નુકસાની નોંતરે છે પરંતુ સમાજે એ વિચારવાનું છે કે મોબાઈલ તરફથી યુવાઓને પાછા વાળવા કઈ રીતે. શું કોઈ સમાજ એક ફતવો બહાર પાડી દેશે કે ટિકટોક ન વાપરવુ કે મોબાઈલનો ઉપયોગ ન કરવો તો મોબાઈલનો ઉપયોગ બંધ થઈ જશે ખરો આ જ વિષય પર છે આજનું મહામંથન