જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવાની સાથે અન્ય કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાં પછી મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યાં છે. કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર અંદાજે 1 વર્ષ બાદ તુટવાની તૈયારીમાં જોવા મળી રહી છે. એવામાં સવાલ એ થઇ રહ્યો છે કે શું કમલનાથ વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકશે? હાલમાં જ ગત વર્ષે કર્ણાટકમાં કોંગ્રેસ-JD (S) સરકારને ભાજપે અલવિદા કરાવી દીધી હતી.
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો
કમલનાથના નેતૃત્વવાળી સરકાર તુટવાની તૈયારીમાં
કમલનાથ વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકશે?
મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક છે. જેમાં બે ખાલી હોવાથી કુલ 228 બેઠક છે. બહુમત માટે 115 બેઠકની જરૂરિયાત હતી. હાલની કમલનાથ સરકારે 121 ધારાસભ્યોની બહુમતિ મેળવી હતી. જેમાં 114 કોંગ્રેસ, 2 બહુજન સમાજ પાર્ટી (BSP), એક સમાજવાદી પાર્ટી (SP) અને 4 અપક્ષ ધારાસભ્યો બહુમતિ સામેલ હતા. પરંતુ કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાં બાદ રાજકીય સમીકરણનું ગણિત બદલાઇ ગયું છે.
રાજીનામાં બાદ હવે 206 ધારાસભ્ય રહી જશે, જો આ ધારાસભ્યોના રાજીનામાં મંજૂર થઇ જશે તો કુલ ધારાસભ્યોની સંખ્યા 206 થઇ જશે, જેને લઇને બહુમતિ માટે 104 ધારાસભ્યની જરૂરિયાત રહેશે. જેમાં કોંગ્રેસની પાસે ધારાસભ્યો ઘટીને માત્ર 92 થઇ જશે.
વિશ્વાસ મત ગુમાવી શકે છે કમલનાથ
એક રિપોર્ટ મુજબ કમલનાથ દ્વારા મંગળવારે બોલાવામાં આવેલી ધારાસભ્યની બેઠકમાં 4 અપક્ષ સહિત ઓછામાં ઓછા 100 ધારાસભ્યો ઉપસ્થિત હતાં. જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સહિત BSP અને SP ના ધારાસભ્યો ગાયબ હતા. જો આ બેઠકમાં 100 ધારાસભ્યો હોવાનો દાવો સાચો માનવામાં આવે તો પણ કમલનાથ સરકાર બહુમતિના જાદુઇ આંકડાથી પાછળ રહી જશે. કારણે બહુમતિ માટે 104 ધારાસભ્યની જરૂરિયા છે. જ્યારે ભાજપ પાસે પોતાના 107 ધારાસભ્ય છે. એવામાં કમલનાથ સરકાર ફલૉર ટેસ્ટ દરમિયાન પોતાનો વિશ્વાસ મત ગુમાવી શકે છે.
6 મંત્રીઓ તરત હટાવવાની કરી માંગણી
મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને 6 મંત્રીઓને તત્કાલ હટાવાની માગ કરી છે. જે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં રાજીનામાં આપનારા 22 ધારાસભ્યોમાં સામેલ છે. જેમાં ઇમરતી દેવી, તુલસી સિલાવત, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્રસિંહ સિસોદીયા, પ્રદ્યુમન સિંહ તોમર અને પ્રભુરામ ચૌધરી સામેલ છે.