કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનના સૈનિકોની ઘૂસણખોરીના સમાચારને લઇને બુધવારે સવાર કર્યો કે શું સરકાર આ વાતની પુષ્ટી કરી શકે છે કે ચીનની સેનાનો કોઇ સૈનિકે ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો નથી?
રાહુલ ગાંધીએ એક સમાચારના સંદર્ભ આપતા ટ્વિટ કર્યું કે, શું ભારત સરકાર આ અંગેની પુષ્ટી કરી શકે છે કે ચીનનો કોઇ સૈનિક ભારતીય સરહદમાં દાખલ થયો નથી ?
ઉલ્લેખનીય છે કે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે વાસ્તવિક નિયંત્રણ લાઇન (LAC) પર અંદાજે એક મહિનાથી ચાલી રહેલા ગતિરોધના સંદર્ભમાં બુધવારે જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ચીનના સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે અને ભારત પણ કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે બધા જરૂરી પગલા ઉઠાવી રહ્યું છે.
રાજનાથસિંહે કહ્યું કે ભારત અને ચીનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે 6 જૂનના રોજ એક બેઠક યોજાશે. આ સાથે રાજનાથ સિહે ખાતરી આપી કે ભારત પોતાની સ્થિતિથી પાછળ હટશે નહીં.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર LaC પર ભારત તરથી ગલવાન ઘાટી અને પેંગોંગ ત્સો ક્ષેત્રમાં ચીનના સૈનિકની સંખ્યા ઘણી વધારે જોવા મળી રહી છે.