ભાઈ-બહેનના અરસપરસના ઝગડાને કારણે કોંગ્રેસ ડૂબી જશે તેવા સીએમ યોગી આદિત્યનાથના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ પલટવાર કર્યો છે.
ભાઈ-બહેનના ઝગડાને કારણે કોંગ્રેસ ડૂબી જશે-સીએમ યોગી
યોગીના આ નિવેદન પર પ્રિયંકાનો પલટવાર
કહ્યું- રાહુલ માટે તો જીવ આપી દઈશ
રાહુલ મારા માટે જીવ આપી દે પછી વિવાદ શું કામ? પ્રિયંકા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સીએમ યોગી આદિત્યનાથના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના ટ્વીટ પર જવાબ આપ્યો છે.
મારા ભાઈ માટે તો જાન પણ હાજર છે-પ્રિયંકા ગાંધી
પ્રિયંકાએ કહ્યું કે, "હું મારા ભાઈ માટે મારો જીવ આપીશ અને મારો ભાઈ પણ મારા માટે પોતાનો જીવ આપશે, તો પછી વિવાદ શું છે? યોગીજીના મનમાં એક વિવાદ છે. તે કદાચ તેમની, મોદીજી અને અમિત શાહ જી વચ્ચેના વિવાદ વિશે વાત કરી રહ્યા હોય તેવું લાગે છે.
.@priyankagandhi - To allegation that brother sister infighting has led to downfall of cong. “ I can give my life for my brother and so can he for me , so where is the infighting ? It’s the BJP which is facing infighting “ pic.twitter.com/VEDBPay3jA
શું કહ્યું હતું યોગી આદિત્યનાથે
યુપી સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને એવું જણાવ્યું હતું કે ભાઈ-બહેનના અરસપરસના ઝગડા અને વર્ચસ્વને કારણે કોંગ્રેસ પાર્ટી ડૂબી જશે. યોગીના આ ટ્વિટ બાદ પ્રિયંકા ગાંધીએ પણ તેમનો જવાબ આપીને આ મુજબનું જણાવ્યું હતું.
સીએમ યોગીના આ ટ્વિટ બાદ કોંગ્રેસ આકરા પાણીએ
સીએમ યોગીના આ ટ્વિટ બાદ કોંગ્રેસ આકરા પાણીએ આવ્યું હતું અને સીએમ યોગી પર તાબડતોબ હુમલા કર્યાં હતા. પ્રિયંકાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભૂલતા નહીં કે 2014માં ભાજપના લોકોએ ગુજરાત મોડલને બોલાવીને મૂર્ખ બનાવી દીધું હતું. પંજાબની સરકાર દિલ્હીથી ન ચાલે. ચરણજીત સિંહ ચન્ની સામાન્ય લોકોના નેતા છે. આ દરમિયાન પ્રિયંકાએ લખીમપુરની ઘટનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. "ખેડૂત આંદોલનમાં ઘણા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ તેમ છતાં તમે લોકો ઝૂક્યા નહીં.